દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીએ એવો કોઈ પત્ર જારી કર્યો નથી જેમાં જણાવવામાં આવ્યું હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત છે. યુનિવર્સિટીએ આ દાવાને નકારી કાઢ્યો છે.

થોડા દિવસો પહેલા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના પ્રવાસે હતા. આ સંદર્ભમાં, દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીની એક પત્રિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત છે. દરેક વિદ્યાર્થીને હાજરી માટે 50 ગુણ આપવામાં આવશે.“
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 09 નવેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત છે. દરેક વિદ્યાર્થીને હાજરી માટે 50 ગુણ આપવામાં આવશે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
કીવર્ડ સર્ચમાં જાણવા મળ્યું કે વાયરલ પત્રિકા નકલી છે અને દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવી નથી.
ઉપરાંત, દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીના સોશિયલ મીડિયા પેજ પર આવી કોઈ પત્રિકા મળી નથી.
દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીએ 8 નવેમ્બરના રોજ તેના સત્તાવાર ફેસબુક પેજ પર એક પત્રિકા જારી કરી હતી, જેમાં વાયરલ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
પત્રિકામાં જણાવાયું હતું કે પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું કે, “અમને ખબર પડી છે કે 9 નવેમ્બરના રોજ યોજાનારી FRI મીટ માટે દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટી (DBUU) ના નામે માર્ક્સ સંબંધિત નકલી સૂચના ફેલાવવામાં આવી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ સૂચના સંપૂર્ણપણે ખોટી છે અને યુનિવર્સિટી દ્વારા જારી કરવામાં આવી નથી. તેમાં કોઈ સત્તાવાર સહી, સંદર્ભ નંબર અથવા અધિકૃતતા નથી. સચોટ માહિતી માટે કૃપા કરીને ફક્ત સત્તાવાર DBUU સંચાર ચેનલો પર આધાર રાખો.”

PIB દ્વારા ખંડન કરાયુ
PIB ફેક્ટ ચેકના સત્તાવાર X હેન્ડલ દ્વારા 8 નવેમ્બરના રોજ એક ટ્વિટ શેર કરીને વાયરલ દાવાનું ખંડન કરવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીએ એવો કોઈ પત્ર જારી કર્યો નથી જેમાં જણાવવામાં આવ્યું હોય કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત છે. યુનિવર્સિટીએ આ દાવાને નકારી કાઢ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર દેવભૂમિ ઉત્તરાખંડ યુનિવર્સિટીએ પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત બનાવી હતી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


