જાણો બાળકોને ભણવા માટે મદદ કરવાના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભણતા બાળકોને મફતમાં ચોપડા આપવાનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં આપેલા કોઈ પણ નંબર પર સંપર્ક કરવાથી ભણતા કોઈ પણ બાળકોને મફતમાં ચોપડા આપવામાં આવશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, ભણતા બળકોને મફતમાં ચોપડા આપવામાં આવતા હોવાનો આ મેસેજ તદ્દન ખોટો છે. જે છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 7 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં આપેલા કોઈ પણ નંબર પર સંપર્ક કરવાથી ભણતા કોઈ પણ બાળકોને મફતમાં ચોપડા આપવામાં આવશે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું કે, આ મેસેજ લગભગ વર્ષ 2019થી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

Facebook | Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમે તમામ નંબરો પર ફોન કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ તામમ નંબર બંધ આવી રહ્યા હતા. કોઈ પણ નંબર પર સંપર્ક કરવો શક્ય થતો જ ન હતો. તેમજ આ મેસેજમાં ના તો કોઈ સંસ્થાનું કે ન તો કોઈ શહેરનું નામ લખવામાં આવ્યું હતું. જે શંકા ઉપજાવે તેવું હતું. તેમજ મોટાભાગના નંબર ગુજરાત બહારના છે. અને તમામ નંબર ખોટા છે. પરંતુ અમે આ મેસેજ પહેલાં જ્યારે વાયરલ થયો હતો ત્યારે આપેલા નંબર પર વારાફરથી સંપર્ક કરતાં એક નંબર પર અમારી વાત રામજીભાઈ કોરાટ નામના વ્યાક્તિ સાથે થઈ હતી.

તેઓએ અમને જે-તે સમયે જણાવ્યું હતું કે, “આ મેસેજ તદ્દન ખોટો છે. આ પ્રકારે કોઈ મદદ કરવામાં આવતી નથી. આ તમામ નંબર ફર્જી છે. આ પ્રકારે કોઈ ગ્રુપ કાર્યરત નથી, વર્ષ 2017થી આ મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજનો કોઈ આધાર પુરાવો નથી, આ મેસેજને લઈ અમે ખૂબ પરેશાની ઉઠાવી રહ્યા છીએ. આ અંગે અમે જે-તે સમયે પોલીસમાં અરજી પણ આપેલી હતી. તેમજ આ મેસેજ ને સત્ય માની અને રોજના લગભગ 100 લોકો દ્વારા ફોન કરવામાં આવે છે. પરંતુ અમે વર્ષોથી આ નંબર ઉપયોગમાં લેતા હોવાથી આ નંબરને બદલી પણ શકતા નથી. તમારા માધ્યમથી અમે લોકોને કહેવા માંગી છીએ કે આ પ્રકારે કોઈ મદદ કરવામાં આવતી નથી. આ મેસેજ તદ્દન ખોટ અને ભ્રામક છે.”

પરિણામ

આમ, આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, ભણતા બળકોને મફતમાં ચોપડા આપવામાં આવતા હોવાનો આ મેસેજ તદ્દન ખોટો છે. જે છેલ્લા ઘણા વર્ષોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title: જાણો બાળકોને ભણવા માટે મદદ કરવાના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *