જાણો હવે ટુ વ્હિલર ચાલકોએ પણ ટોલ ભરવો પડશેના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હાઈવે પરના ટોલ ટેક્સને લગતો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર 15 જુલાઈ, 2025થી ટુ વ્હિલર ચાલકોએ પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પર આ દાવાનું ખંડન કર્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 26 મે, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અને માહિતી સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર 15 જુલાઈ, 2025થી ટુ વ્હિલર ચાલકોએ પાસેથી પણ ટોલ ટેક્સ વસુલવાનો નિર્ણય લેવાની તૈયારીમાં છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા 26 જૂન, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એ માહિતી આપવામાં આવી હતી કે, નેશનલ હાઈવે ઓર્થોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ આ સમાચારને નકારી કાઢ્યા છે અને સ્પષ્ટતા કરી છે કે સરકારનું આવું કોઈ પ્લાનિંગ નથી. આ સાથે જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ કહ્યું છે કે, આ સમાચાર ભ્રામક છે. તેમણે આવા સમાચારની નિંદા કરી છે. આપને જણાવી દઈએ કે, દેશમાં ટોલ ટેક્સ ફક્ત કાર, બસ અને ટ્રક જેવા વાહનો પાસેથી જ લેવામાં આવે છે. ટૂ-વ્હલર ચાલકો પાસેથી કોઈપણ ટોલ ટેક્સ લેવામાં આવતો નથી. 

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા આ માહિતી ખોટી હોવા અંગે ટ્વિટર પર ટ્વિટ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સોશિયલ મીડિયા પર આ દાવાનું ખંડન કર્યું છે. આ માહિતીને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો હવે ટુ વ્હિલર ચાલકોએ પણ ટોલ ભરવો પડશેના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *