
તાજેતરમાં ત્યારે સોશિયલ મીડિયા પર બેરિકેડ પર તલવાર લઈને ઉભેલા ખેડૂતનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેરિકેડ પર તલવાર લઈને ઉભેલા ખેડૂતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં થયેલા કિસાન આંદોલનનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 17 ફેબ્રુઆરી, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ગજબનો હો
રાયડો વાઢવા જતો એક ખાલીસ્તાની ખેડૂત. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલન સમયનો છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અમને 26 જાન્યુઆરી, 2021ના રોજ ઈન્ડિયા ટીવી દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મળ્યો હતો. આનાથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ તસવીરનો વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.
અહેવાલ મુજબ, 72માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના દિવસે કિસાન પ્રજાસત્તાક પરેડ દરમિયાન, એક ખેડૂતે ખેડૂતોને રોકવા માટે અક્ષરધામમાં રસ્તા પર લગાવેલા પોલીસ બેરિકેડ્સ તોડી નાખ્યા અને તેના પર ચાલવા લાગ્યા.

વધુ તપાસ પર, અમને વાયરલ ફોટા સાથે સંબંધિત અન્ય ઘણા સમાચાર મળ્યા. જે વર્ષ 2021માં પ્રકાશિત થયા છે. જે તમે અહીં, અહીં અને અહીં જોઈ શકો છો.
સમાચાર અનુસાર, ખેડૂતો કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. આ અંગે તેઓ ટ્રેક્ટર માર્ચ કાઢી રહ્યા હતા. પરંતુ તેઓ નિયત રૂટ પરથી જવાને બદલે પ્રતિબંધિત રૂટ પરથી જવા લાગ્યા હતા. જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.

27 જાન્યુઆરી, 2021 ના ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર અનુસાર, 27 વર્ષીય આંદોલનકારી નવરીત સિંહે 26 જાન્યુઆરી, 2021 ના રોજ વિરોધ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બેરિકેડ પર તલવાર લઈને ઉભેલા ખેડૂતનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021 માં થયેલા કિસાન આંદોલનનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનમાં બેરિકેડ પર તલવાર લઈને ઉભેલા ખેડૂતના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: False
