શું ખરેખર બનાસકાંઠાના વિભાજનની પ્રક્રિયા સરકાર દ્વારા અટકાવામાં આવી…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની પ્રક્રિયા અટકાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે.

ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી થરાદ-વાવને નવો જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાત જાન્યુઆરી મહિનામાં કરવામાં આવી હતી, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે, નવીન જિલ્લાની પ્રકિયા સરકાર દ્વારા અટકાવવામાં આવી છે. 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 ઓગસ્ટ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બનાસકાંઠા જિલ્લાની વિભાજનની પ્રક્રિયા સરકાર દ્વારા અટકાવવામાં આવી છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

અચાનક સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજથી ભારે કુતુહુલ ફેલાયુ હતુ. જેથી અમે સૌપ્રથમ સોશિયલ મીડિયામાંજ આ અંગે કીવર્ડ સાથે સર્ચ કર્યુ હતુ. 

દરમિયાન અમને બનાસકાંઠાના માહિતી વિભાગ દ્વારા તેમના ઓફિશિયલ ઈન્સટાગ્રામ એકાઉન્ટ પરથી કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “બનાસકાંઠા જિલ્લા વિભાજન પ્રક્રિયા રદ્દ થઈ ગઈ છે” એવો સંદેશ ખોટો છે. ગુજરાત સરકારે આવું કોઈ જાહેરનામું કર્યું નથી. નાગરિકોને વિનંતી છે કે આવા ખોટા સંદેશાઓમાં વિશ્વાસ ન કરે અને તેને આગળ ન મોકલે: કલેક્ટર બનાસકાંઠા” 

Archive 

તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા બનાસકાંઠા કલેક્ટરનો પણ સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “સરકાર દ્વારા વિભાજનની પ્રક્રિયા રદ્દ કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે, આ માહિતી સોશિયલ મીડિયામાં ખોટી ફેલાવવામાં આવી રહી છે. તમારા માધ્યમથી લોકોને કહેવા માંગીએ છીએ કે આવા ખોટા સંદેશાઓમાં વિશ્વાસ ન કરે અને અફવાઓથી દૂર રહે.” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજનની પ્રક્રિયા અટકાવવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર બનાસકાંઠાના વિભાજનની પ્રક્રિયા સરકાર દ્વારા અટકાવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False