શું ખરેખર ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગણપતિની આરતી વગાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

રાષ્ટ્રીય I National સામાજિક I Social

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દુબઈ સ્ટેડિયમનો નહીં પરંતુ મુંબઈના વાનખેડે સ્ટેડિયમનો છે. વાનખેડે સ્ટેડિમયની 50મી વર્ષગાંઠ નિમિતે કરવામાં આવેલા આયોજન દરમિયાનનો છે.

પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી રહ્યું છે, પરંતુ ભારતીય ટીમની મેચો દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે. ભારત સાથે મેચ રમવા માટે પાકિસ્તાન પણ દુબઈ પહોંચ્યું. આ મેચમાં પાકિસ્તાનને છ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્ટેડિયમમાં ગણેશ ભજન વાગતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતની પાકિસ્તાન સામેની જીત બાદ સ્ટેડિયમમાં ગણપતિની આરતી વગાડવામાં આવી.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતની પાકિસ્તાન સામેની જીત બાદ સ્ટેડિયમમાં ગણપતિની આરતી વગાડવામાં આવી.”

Facebook  

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને આ વીડિયો sanchitd43 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મળ્યો. આ વીડિયો 19 જાન્યુઆરી 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, વાયરલ વીડિયો મુંબઈના વાનખેડે સ્ટેડિયમનો છે. 

ઉપરોક્ત ક્લુના આધારે સર્ચ કરતા અમને જાન્યુઆરી 2025માં અપલોડ કરાયેલા અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સમાન વીડિયો મળ્યા. ઉપલબ્ધ માહિતી અનુસાર, આ વીડિયો મુંબઈના વાનખેડે સ્ટેડિયમના 5૦માં વર્ષગાંઠના કાર્યક્રમનો છે.

જે સમાચારને મીડિયા સંસ્થાનો દ્વારા પણ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દુબઈ સ્ટેડિયમનો નહીં પરંતુ મુંબઈના વાનખેડે સ્ટેડિયમનો છે. વાનખેડે સ્ટેડિમયની 50મી વર્ષગાંઠ નિમિતે કરવામાં આવેલા આયોજન દરમિયાનનો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન ગણપતિની આરતી વગાડવામાં આવી…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia  

Result: Misleading