વર્ષ 2022માં મુંબઈના અંધેરીમાં દીપા બાર પર પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આદિત્ય ઠાકરેનો આ ડાન્સ બાર સાથે કોઈ સંબંધ નથી અને શિવસેના યુબીટીએ પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ડાન્સ બાર પર દરોડા દરમિયાન સુરંગમાં છુપાયેલી છોકરીઓ બહાર આવતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ ડાન્સ બાર કથિત રીતે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 13 જાન્યુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ ડાન્સ બાર કથિત રીતે ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ વીડિયોના આધારે કીવર્ડ સર્ચ કરતાં, અમને Tribune India દ્વારા 10 જાન્યુઆરી 2024ના પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “શિવસેના (UBT) ના નેતા વિનાયક રાઉતે શુક્રવારે ડાન્સ બાર પર દરોડાના વીડિયોને આદિત્ય ઠાકરેના નામે ખોટી રીતે રજૂ કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, આ કથિત વીડિયો મુંબઈના અંધેરી વિસ્તારમાં આવેલા એક ડાન્સ બારમાં શૂટ કરવામાં આવ્યો હતો. આમાં, પોલીસ કાર્યવાહી પછી કેટલીક મહિલાઓને પરિસરની અંદર બનાવેલી સુરંગમાંથી બહાર આવતી બતાવવામાં આવી છે.”
આ આધારે શોધ કરતાં, અમને 13 ડિસેમ્બર 2021 ના રોજ ઇન્ડિયા ટુડેનો એક અહેવાલ મળ્યો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “સમાજ સેવા શાખાએ મુંબઈના અંધેરીમાં દીપા બાર પર દરોડો પાડ્યો અને ત્યાં એક સુરંગમાં છુપાયેલી 17 છોકરીઓને બચાવી.” પોલીસે આ કેસમાં 20 લોકો વિરૂદ્ધ FIR દાખલ કરી હતી.
તેમજ વધુ સર્ચ કરતા અમને આદિત્ય ઠાકરેની માલિકીની કોમોર્શિયલ મિલકતો તપાસવા માટે, અમે તેમનું ચૂંટણી સોગંદનામું તપાસ્યું. ઠાકરેએ મહારાષ્ટ્રની વર્લી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી અને તેમના ચૂંટણી સોગંદનામામાં આપેલી માહિતી અનુસાર, તેમની પાસે અંધેરીમાં કોઈ કોમોર્શિયલ મિલકત નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વર્ષ 2022માં મુંબઈના અંધેરીમાં દીપા બાર પર પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આદિત્ય ઠાકરેનો આ ડાન્સ બાર સાથે કોઈ સંબંધ નથી અને શિવસેના યુબીટીએ પણ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર આદિત્ય ઠાકરેના ડાંસ બારમાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
