જાણો અસારવા ખાતે આવેલી બાલભારતી શાળામાંથી 4 બાળકો ઉઠાવી ગયા હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભેગા થયેલા લોકોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અસારવા ખાતે આવેલી બાલભારતી શાળામાંથી 4 બાળકો ઉઠાવી ગયા ત્યારે એકઠી થયેલી ભીડનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભેગા થયેલા લોકોના ટોળાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ 29 નવેમ્બરના રોજ બનેલી ઘટનાનો છે. બાળકોને ઉઠાવી જવાની કોઈ જ ઘટના આ સ્કૂલમાં બની નથી આ એક અફવા હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, અસારવા બાલ‌ભારતી શાળા માંથી આજે 4 છોકરાઓ ઉથાવી ગયા છે એટલા માટે પોત પોતાના બાળકોને સાચવવા વિનંતી. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં ભેગા થયેલા લોકોના ટોળાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ 29 નવેમ્બરના રોજ બનેલી ઘટનાનો છે. બાળકોને ઉઠાવી જવાની કોઈ જ ઘટના આ સ્કૂલમાં બની નથી આ એક અફવા હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

https://archive.org/details/video-convert-1733483126694_202412

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ આ પ્રકારના કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ નહતી.

ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોતાં અમને એક બોર્ડ પર શાળાનું નામ ‘શાંતિકુમાર કોઠારી વિદ્યાલય’ લખેલું જોવા મળ્યું હતું.

67a32b38-3603-4b42-82b4-d86483c11ae8.png

ત્યાર બાદ અમે સીધો જ સંપર્ક અસારવા ખાતે આવેલી શ્રી શાંતિકુમાર કોઠારી વિદ્યાલયનો કરતાં અમને આ શાળાના કેમ્પસ ડિરેક્ટર દિલીપભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “આ એક અફવા માત્ર છે આવી કોઈ જ ઘટના અમારી શાળામાં બની નથી.” વધુમાં તેઓએ આ વીડિયો વિશે પૂછતાં જણાવ્યું હતું કે, “આ વીડિયો જ્યારે બાળકો ઉઠાવી જવાની અફવા વાયરલ થઈ ત્યારે 29 નવેમ્બરના રોજ અમારી શાળા આગળ મોટી સંખ્યામાં લોકો અને બાળકોના વાલીઓ તેમજ સગા સંબંધીઓ એકઠા થયા હતા. ત્યારે અમે શાળાને કે સ્ટાફને નુકશાન ન થાય તે માટે પોલીસને જાણ કરી હતી અને પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. અમે તમામ બાળકોને તેમના વાલીઓને સોંપી દીધા હતા. આ સમયે કોઈએ શાળાની સામેની બાજુએથી આ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર ફરતો કર્યો હતો.” 

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે અસારવા પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરતાં ફરજ પરના અધિકારીએ અમને જણાવ્યું હતું કે, “આ એક અફવા માત્ર છે અને બાળકો ઉઠાવી જવાની કોઈ પણ ઘટના અમારી વિસ્તારમાં બની નથી. લોકોએ આવી અફવાઓથી દૂર રહેવું જોઈએ.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભેગા થયેલા લોકોના ટોળાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ 29 નવેમ્બરના રોજ બનેલી ઘટનાનો છે. બાળકોને ઉઠાવી જવાની કોઈ જ ઘટના આ સ્કૂલમાં બની નથી આ એક અફવા હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો અસારવા ખાતે આવેલી બાલભારતી શાળામાંથી 4 બાળકો ઉઠાવી ગયા હોવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False