જાણો પ્રયાગરાજ મહાકુંભના સમાપનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર આતશબાજીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભના સમાપનનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આતશબાજીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્રયાગરાજના મહાકુંભના સમાપનનો નહીં પરંતુ વર્ષ 2024માં દિવાળી પર્વ પર વારાણસી ખાતે કરવામાં આવેલી આતશબાજીનો છે. આ વીડિયોને પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 27 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુંભના સમાપનનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં 

અમને મનીકન્ટ્રોલ હિન્દીના સત્તાવાર ફેસબુક પેજ પર વાયરલ વીડિયો જેવો જ એક વીડિયો મળ્યો. ૧૫ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ અપલોડ કરાયેલા વીડીયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો વારાણસીના લલિતા ઘાટ પર દેવ દિવાળીની ઉજવણી નિમિત્તે કરવામાં આવેલી આતશબાજીનો છે.

અમારી વધુ તપાસમાં અમને વાયરલ વીડિયો નવભારત લાઈવના X હેન્ડલ પર જોવા મળ્યો હતો. આ વીડિયો ૧૬ નવેમ્બર, ૨૦૨૪ ના રોજ શેર કરવામાં આવ્યો હતો. આપેલી માહિતી અનુસાર, આ વારાણસીના લલિતા ઘાટ પર દેવ દિવાળીની રાત્રે યોજાયેલા શોનો છે.

આ વાયરલ વીડિયો નવેમ્બર 2024 માં અનેક ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો વારાણસીના દેવ દિવાળીનો હોવાનું કહેવાય છે.

એક ટ્વિટર યુઝર દ્વારા પણ આજ વાયરલ વીડિયો વર્ષ 2024માં શોર કરવામાં આવ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં આતશબાજીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ પ્રયાગરાજના મહાકુંભના સમાપનનો નહીં પરંતુ વર્ષ 2024માં દિવાળી પર્વ પર વારાણસી ખાતે કરવામાં આવેલી આતશબાજીનો છે. આ વીડિયોને પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો પ્રયાગરાજ મહાકુંભના સમાપનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas  

Result: False