પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દાના વાવાઝોડા દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2021ના તૌકતે વાવાઝોડા દરમિયાનનો છે. હાલનો ઓડિશાનો હોવાની વાત તદ્દન ખોટી છે.

ગત 25મી ઓક્ટોબરના ચક્રવાત દાનાએ ઓડિશા અને ધામરાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રકોપ કર્યો હતો. તેની અસર પશ્ચિમ બંગાળમાં પણ જોવા મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચક્રવાત દાનાના કારણે પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ઓડિશામાં કોઈનું મોત થયું નથી. આ સંદર્ભમાં દરિયા કિનારે હાઈ ટાઈડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઓડિશામાં આવેલા દાના વાવાઝોડા દરમિયાનનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 25 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઓડિશામાં આવેલા દાના વાવાઝોડા દરમિયાનનો આ વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને યુટ્યુબ ચેનલ પર 16 મે 2021ના રોજ અપલોડ કરવામાં આવેલો આ જ વીડિયો મળ્યો. વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, ચક્રવાત તૌકતે આ કેરળ અને ગોવાના કિનારાનો નજારો છે. તમે નીચેનો વીડિયો જોઈ શકો છો.
વાયરલ વીડિયોનો ફોટો 18 મે 2021ના રોજ લાઈવ હિન્દુસ્તાન વેબસાઈટ પર પ્રસારિત થતો જોવા મળ્યો હતો. અહેવાલો અનુસાર ચક્રવાત તૌકતે ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠે તબાહી મચાવી છે. મ્યાનમાર દેશે ચક્રવાતને તેનું નામ આપ્યું છે, જેનો અર્થ થાય છે ગર્જના કરતી વીજળી.
અન્ય અહેવાલ મુજબ, 17 મે 2021ના રોજ ચક્રવાત તૌકતેએ 185 કિમી પ્રતિ કલાકની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં લેન્ડફોલ કર્યું હતું. લેન્ડફોલ કરતા પહેલા જ ચક્રવાતે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રને અસર કરી હતી. ચક્રવાત તૌકતેએ 12 લોકોના મોત કર્યા, સેંકડો ઘરોનો નાશ કર્યો અને વીજળી બંધ કરી દીધી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો દાના વાવાઝોડા દરમિયાનનો નહીં પરંતુ વર્ષ 2021ના તૌકતે વાવાઝોડા દરમિયાનનો છે. હાલનો ઓડિશાનો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:વર્ષ 2021ના તાઉ તે વાવાઝોડાના વીડિયોને હાલના દાના વાવાઝોડાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…
Fact Check By: Frany KariaResult: False
