RSSના મહાસચિવ રામલાલની દિકરીએ CM યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન નથી કર્યા… જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભાજપ મહામંત્રી રામલાલની પુત્રીએ યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ ફૈઝાન કરીમ સાથે લગ્ન કર્યા. અંધભક્તો ને એક મુસ્લિમ ફુવા મળી ગયા.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ડિસેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપ મહામંત્રી રામલાલની પુત્રીએ યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ ફૈઝાન કરીમ સાથે લગ્ન કર્યા.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર “UP के भाजपा के महामंत्री की भतीजी शादी” લખતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, રામલાલની ભત્રીજી શ્રેયા ગુપ્તાના લગ્ન ગત ફેબ્રુઆરીમાં ફૈજાન કરીમ સાથે થયા હતા. જે પછી ભાજપા અને આરઆરએસને સોશિયલ મિડિયા પર ટ્રોલ કરવામાં આવ્યુ હતુ. JANSATTA નો 21 ફેબ્રુઆરી 2019નો અહેવાલ તમે નીચે વાંચી શકો છો.

JANSATTA | ARCHIVE

ત્યારબાદ જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, રામલાલની ભત્રીજીના લગ્ન લખનઉંની ફાઈવ સ્ટાર હોટલમાં થયા હતા અને તે લગ્ન પ્રસંગમાં રાજ્યપાલ રામ નાઈક, કેન્દ્રિય અલ્પસંખ્યક કલ્યાણ મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી, ઉપ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય, ડો.દિનેશ શર્મા, નગર વિકાસ મંત્રી સુરેશ ખન્ના, ઉડ્ડયન મંત્રી નન્દી સહિત ઘણા મંત્રી અને પાર્ટીથી જોડાયેલા પદાધિકારીઓ હાજર રહ્યા હતા. પરંતુ ક્યાંય પણ યોગી આદિત્યનાથનું નામ હતુ. ધ પ્રિન્ટ દ્વારા પ્રકાશિત અહેવાલ તમે નીચે વાંચી શકો છો. 

THE PRINT | ARCHIVE

રામલાલની ભત્રીજીના લગ્ન તારીખ 17 ફેબ્રુઆરી 2019ના થયા હતા. તે દિવસે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દિન ચર્યા વિશે અમે જાણવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને તેમની ઓફિશિયલ વેબસાઈટ પરથી જાણવા મળ્યુ હતુ કે, તે દિવસે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીની તૈયારીમાં તેમજ શહિદ પરિવારને મળવા ગયા હતા. પરંતુ રામલાલની ભત્રીજીના લગ્નમાં હાજરી આપી હોવાનું અમને જાણવા મળ્યુ ન હતુ. 

યોગીઆદિત્યનાથ

તેમજ રામલાલને ગત 13 જૂલાઈ 2019ના તેમના મહામંત્રીના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. હાલમાં તેઓ ભાજપાના મહામંત્રી નથી. ANI દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે યુપી ભાજપાના તત્તકાલિન પ્રવક્તા ડો.મનોજ મિશ્રા થકી રામલાલનો સંપર્ક સાધ્યો હતો તેમણે અમને જણાવ્યું હતુ કે, યોગી આદિત્યનાથ તેમની ભત્રીજીના લગ્નમાં ન હતા આવ્યા, જો કે, તેમને ટેલિફોનિક શુભેચ્છા પાઠવી હોવાનું રામલાલે જણાવ્યુ હતુ.  

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રામલાલની પુત્રીના નહીં પરંતુ ભત્રીજીના લગ્ન મુસ્લિમ યુવક સાથે થયા પરંતુ યુપીના મુખ્યમંત્રીની હાજરીમાં થયા તે વાત તદ્દન ખોટી છે. તેમજ આજ થી સાત વર્ષ પહેલા વર્ષ 2018માં આ લગ્ન થયા હતા અને હાલમાં રામલાલ ભાજપાના મહામંત્રી પણ નથી. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:RSSના મહાસચિવ રામલાલની દિકરીએ CM યોગી આદિત્યનાથની હાજરીમાં મુસ્લિમ સાથે લગ્ન નથી કર્યા… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *