
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વૃદ્ધ સંતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો 154 વર્ષના સંતનો છે જે મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે સંતનો વીડિયો મૂકવામાં આવ્યો છે એમનું થોડા સમય પહેલાં જ 110 વર્ષની ઉંમરે નિધન થયું અને તેમનું નામ સંત સિયારામ બાબા હતું જેઓ મધ્યપ્રદેશના નિમાડ ખાતે રહેતા હતા. આ વીડિયોને પ્રયાગરાજના મહાકુંભ મેળા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 29 જાન્યુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો 154 વર્ષના સંતનો છે જે મહાકુંભ મેળામાં ભાગ લેવા માટે પહોંચ્યા છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોમાં દેખાતા સંતનો આવો જ એખ વીડિયો એક યુટ્યુબ યુઝર દ્વારા 30 સપ્ટેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વિશ્વ વિખ્યાત સંત સિયારામ બાબા.
ત્યાર બાદ અમે ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આજ સંત સિયારામ બાબાના વીડિયો સાથેના સમાચાર Mp Tak દ્વારા તેની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 11 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, 110 વર્ષના સંત સિયારામ બાબાએ 11 ડિસેમ્બર, બુધવારના રોજ વહેલી સવારે લગભગ 5 વાગે અંતિમ શ્વાસ લીધા.
અમારી વધુ તપાસમાં અમને આજ સંતના નિધનની માહિતી સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. bhaskar.com | aajtak.in
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે સંતનો વીડિયો મૂકવામાં આવ્યો છે એમનું થોડા સમય પહેલાં જ 110 વર્ષની ઉંમરે નિધન થયું અને તેમનું નામ સંત સિયારામ બાબા હતું જેઓ મધ્યપ્રદેશના નિમાડ ખાતે રહેતા હતા. આ વીડિયોને પ્રયાગરાજના મહાકુંભ મેળા સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title: જાણો મહાકુંભમાં ભાગ લેવા પહોંચેલા 154 વર્ષના સંતના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
