જાણો હિંમતનગર-વિજાપુર હાઈવે પર ગાબડું પડ્યું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પુલ પર પડેલા ગાબડાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને લીધે હિંમતનગરથી વિજાપુર હાઈવે પર આવેલા પુલ પર ગાબડું પડતાં આ પુલ અર-જવર માટે બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પુલ પર પડેલા ગાબડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે…?

એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 25 ઓગસ્ટ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હિંમતનગર થી વિજાપુર હાઇવે  બ્રિજ જોખમી  તંત્ર દ્વારા હાલ  આ પુલ અવર જવર માટે બંધ કરાયો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને લીધે હિંમતનગરથી વિજાપુર હાઈવે પર આવેલા પુલ પર ગાબડું પડતાં આ પુલ અર-જવર માટે બંધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર GSTV દ્વારા 10 ઓગસ્ટ, 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વિજાપુર-હિંમતનગર હાઈવે પર ડેરોલ ગામ પાસે આવેલા પુલ પર ગાબડું પડ્યું તેનો આ વીડિયો છે.

આ જ સમાચાર ZSTV NEWS દ્વારા પણ 10 ઓગસ્ટ, 2019ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

અમારી વધુ તપાસમાં અમને ગુજરાત સરકારનો રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના સત્તાવાર ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આ વીડિયો વર્ષ 2019નો હોવાની સ્પષ્ટતા કરતી એક પોસ્ટ મૂકવામાં આ હતી.

જો કે અમારી વધુ તપાસમાં અમને ટીવી9 ગુજરાતી દ્વારા 24 ઓગસ્ટ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એ માહિતી આપવામાં આવી હતી કે, વિજાપુર-હિંમતનગર હાઈવે પર ડેરોલ ગામ પાસેનો પુલ સલામતીના ભાગરુપે સાબરમતી નદીમાં પાણીનું સ્તર વધતાં બંધ કરવામાં આવ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પુલ પર પડેલા ગાબડાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2019માં બનેલી ઘટનાનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો હિંમતનગર-વિજાપુર હાઈવે પર ગાબડું પડ્યું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result:Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *