જાણો આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ કર્યું હોવાની માહિતીનું શું છે સત્ય….

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સમાચાર પત્રનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ કર્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ નથી કર્યું પરંતુ પ્રવર્તમાન બોર્ડને ભંગ કરી એક નવું બોર્ડ બનાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 2 ડિસેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, *આંધ્રપ્રદેશની NDA સરકારે ભંગ કર્યુ વકફ બોર્ડ* વાહ પવન કલ્યાણ એ ભારત માં દાખલો બેસાડ્યો.કટ્ટર ઇસ્લામ પંથી બોર્ડ ની કબર માં પહેલી કિલ ઠોકી. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ કર્યું.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં ડેક્કન હેરાલ્ડ દ્વારા 1 ડિસેમ્બર, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશ સરકારે સુશાસનને પ્રોત્સાહન આપવા, વકફની મિલકતોની સુરક્ષા કરવા અને બોર્ડને અસરકારક રીતે ચલાવવા માટે આંધ્રપ્રદેશ રાજ્ય વકફ બોર્ડને વિખેરી નાખ્યું છે.”

રાજ્ય સરકારે 21 ઓક્ટોબર, 2023 ના રોજ જારી કરાયેલા સરકારી આદેશ (GO) ને રદ કર્યો હતો, જેમાં ત્રણ સભ્યો ચૂંટાયા હતા અને સાત અન્યને 11 સભ્યોના વકફ બોર્ડમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

સરકારના સચિવ કે. હર્ષવર્ધને શનિવારે જારી કરેલા સરકારી આદેશમાં જણાવ્યું હતું કે, “સુશાસન જાળવવા, વકફની મિલકતોનું રક્ષણ અને વકફ બોર્ડની સુવ્યવસ્થિત કામગીરી સુનિશ્ચિત કરવાના હિતમાં, સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સરકારી આદેશ MS નંબર 47 (જેણે બોર્ડની રચના કરી હતી) ને તાત્કાલિક અસરથી પાછી ખેંચી લે છે.” GP ના જણાવ્યા અનુસાર, એપી સ્ટેટ વકફ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે સરકારને જાણ કરી હતી કે, બોર્ડ “વિસ્તૃત સમયગાળા માટે બિન-કાર્યરત” છે, અને બોર્ડની રચના કરતી “આદેશની માન્યતા પર સવાલ ઉઠાવતી” રિટ અરજીઓ થઈ છે.

GO એ વધુમાં ઉમેર્યું હતું કે, દક્ષિણના રાજ્યએ આ નિર્ણય પર પહોંચતી વખતે હાઇકોર્ટ દ્વારા કરાયેલી રિટ પિટિશનમાં કરવામાં આવેલા અવલોકનોને પણ ધ્યાનમાં લીધા હતા.

unnamed.png

Archive

અમારી વધુ તપાસમાં અમને 1 ડિસેમ્બર, 2024 ના રોજ “ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા” માં પ્રકાશિત થયેલ અહેવાલ મળ્યો. અહેવાલ સાથે એપી સરકારનો આદેશ જોડવામાં આવ્યો છે.

unnamed (1).png

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. deccanherald.com | ptinews.com

આંધ્ર પ્રદેશ સરકારના સચિવ કે. હર્ષવર્ધનની નોટિસ તમે અહીં જોઈ શકો છો.

unnamed (2).png

વધુમાં અમને X પર આંધ્રપ્રદેશ સરકારના એક ફેક્ટ ચેક એકાઉન્ટ પર હકીકત જાણવા મળી જે આ દાવાને રદિયો આપે છે. ટ્વિટમાં લખ્યું હતું કે, “આંધ્ર પ્રદેશ વક્ફ બોર્ડ માર્ચ 2023 થી બિન-કાર્યકારી રહ્યું છે, જેના કારણે વહીવટી સ્થિરતાનો સમયગાળો આવ્યો છે. G.O. Ms. No. 47 ને પાછું ખેંચી લેવું ઘણી મહત્વપૂર્ણ ચિંતાઓને કારણે અનિવાર્ય બની ગયું. આમાં તેની માન્યતાને પડકારતી 13 રિટ પિટિશન, સુન્ની અને શિયા વિદ્વાનોના પર્યાપ્ત પ્રતિનિધિત્વની ગેરહાજરી, ભૂતપૂર્વ સાંસદોનો બિન-સમાવેશ, પારદર્શક માપદંડ વિના જુનિયર એડવોકેટ્સની નિમણૂક, ચોક્કસ સભ્યોની લાયકાતને લગતા પ્રશ્નો અને ચાલુ મુકદ્દમાને કારણે અધ્યક્ષની પસંદગી કરવામાં અસમર્થતાનો સમાવેશ થાય છે.. GoAP આ ખામીઓને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેશે અને વહેલી તકે નવા વક્ફ બોર્ડની રચના કરશે.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે એડવોકેટ, નોર્થ ઈસ્ટ હજ કમિટીના ચેરમેન તેમજ આસામ સ્ટેટ વકફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ નેકીબુર ઝમાનનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, વક્ફ એક્ટ એક કેન્દ્રીય અધિનિયમ છે; રાજ્ય સરકાર તેને નાબૂદ કરી શકે નહીં. તેનો કાર્યકાળ 5 વર્ષનો છે અને કાર્યકાળ બાદ નવા બોર્ડની રચના કરવામાં આવે છે. નવા બોર્ડની રચના કરવા માટે પ્રતિનિધિઓ છે. વક્ફ બોર્ડ એક સ્વાયત્ત સંસ્થા છે. કાર્યકાળ પછી, અથવા નિષ્ક્રિય બોર્ડના કિસ્સામાં, રાજ્ય સરકાર નવા વક્ફ બોર્ડનું પુનર્ગઠન કરવા માટે તેને વિસર્જન કરી શકે છે, પરંતુ તેને નાબૂદ કરી શકતી નથી.

જેના પરથી એ સ્પષ્ટ થાય છે કે, આંધ્ર પ્રદેશ સરકારે વક્ફ બોર્ડને નાબૂદ કર્યું નથી; તેના બદલે તેમણે વર્તમાન બોર્ડને વિસર્જન કરીને નવા બોર્ડની રચના કરી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ નથી કર્યું પરંતુ પ્રવર્તમાન બોર્ડને ભંગ કરી એક નવું બોર્ડ બનાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ માહિતી લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો આંધ્રપ્રદેશની NDA સરકારે વકફ બોર્ડ ભંગ કર્યું હોવાની માહિતીનું શું છે સત્ય….

Written By: Vikas Vyas 

Result: False