પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલના સંભલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠી ચાર્જનો નહીં પરંતુ વર્ષ 2019ના સીએએ વિરોદ્ધ પ્રદર્શન દરમિયાનનો છે.

તાજેતરમાં સંભલની સ્થાનિક કોર્ટે શહેરમાં આવેલી શાહી જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો. રવિવારે સવારે સર્વેની ટીમ મસ્જિદમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જ્યારે પોલીસે સ્થળ ખાલી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભીડ દ્વારા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.
આ પૃષ્ઠભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પોલીસ ભીડ પર લાઠીચાર્જ કરતી જોવા મળી રહી છે. “આ વીડિયો યુપીના સંભલમાં થયેલી હિંસા તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 24 નવેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો યુપીના સંભલમાં થયેલી હિંસા તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ટ્વિટર પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે 31 ડિસેમ્બર 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયો ઉત્તર પ્રદેશના ગોરખપુરનો છે, જ્યાં પોલીસે CAAનો વિરોધ કરી રહેલા લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.”
https://twitter.com/imMAK02/status/1211893494513422336
તેમજ વધુ સર્ચ કરતા અમને અમને ETV ભારતની વેબસાઇટ પર 20 ડિસેમ્બર 2019ના રોજ પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે શુક્રવારની નમાજ પછી, મસ્જિદમાંથી બહાર આવેલા નમાજકોએ CAAનો વિરોધ કર્યો અને આ દરમિયાન તેઓ નખાસ વિસ્તારમાં એકઠા થયા. જે બાદ પોલીસે ભીડને વિખેરવા માટે પ્રદર્શનકારીઓ પર બળપ્રયોગ કર્યો હતો.
તેમજ વધુ સર્ચ કરતા અમને લાઈવ હિન્દુસ્તાનનો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ ઘટનાનો બીજો વીડિયો પણ જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલના સંભલમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠી ચાર્જનો નહીં પરંતુ વર્ષ 2019ના સીએએ વિરોદ્ધ પ્રદર્શન દરમિયાનનો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠી ચાર્જના વીડિયોનું જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
