વાયરલ વીડિયો મહરાષ્ટ્રના નાસિકમાં ચાંદવડ પાસે રાહુડ ઘાટ પાસે થયેલા અકસ્માતનો છે. મુંબઈ-અમદાવાદ જતી બસના અકસ્માતનો વીડિયો નથી.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, બસનો અકસ્માત થયો છે અને અકસ્માત બાદ ઘાયલોની લોહિલુહાણ હાલતમાં જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં થયેલા અકસ્માતનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 14 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં થયેલા અકસ્માતનો આ વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામ પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને બીબીસી મરાઠી દ્વારા 30 એપ્રિલ 2024ના પ્રકાશિત અહેવાલ પ્રાપ્ત થયો હતો.
જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “મુંબઈ-આગ્રા હાઈવે પર નાસિક જિલ્લામાં ચાંદવડ પાસે રાહુડ ઘાટ પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો હતો. પ્રશન અનુસાર તેમાં 3 લોકોનાં મોત થયા છે, જ્યારે 13 લોકો ગંભીરરૂપે ઘાયલ થયા હતા. બસ જલગાવથી વસઈ જઈ રહી હતી. વળી મૃતાંક વધીને હવે 4 થઈ ગયો છે.”
તેમજ વધુ સર્ચ કરતા અમને નાસિક લોકસાહી ન્યુઝ દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નાસિકમાં એસટી અને ટ્રક વચ્ચે ચાંદવડ પાસે રાહુડ ઘાટ પાસે અકસ્માત થયો હતો. ઘાયલોને મદદ માટે પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. સ્થાનિક ગામવાસીઓ પણ મદદ માટે આવી પહોંચ્યા હતા. બસમાં અંદાજે 45-50 મુસાફરો હતો. જેમાંથી 4નાં મોત થયા છે, તેમાં એક મહિલા અને 3 પુરુષો સામેલ છે બાકીના લોકોને સામાન્ય ઇજા થઈ હતી. તમામને સારવાર આપવામાં આવી રહી છે. અને તમામ તબીબી મદદ તથા વળતર પણ આપવામાં આવશે. ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ ખડેપગે છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. પ્રાથમિક ધોરણે એ જાણવા મળ્યું છે કે, ટ્રક ડ્રાઇવરની ભૂલના લીધે અકસ્માત થયો છે. વધુ તપાસ ચાલુ છે.”
તેમજ એબીપી માંઝા દ્વારા પણ આ અંગે વિશેષ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો મહરાષ્ટ્રના નાસિકમાં ચાંદવડ પાસે રાહુડ ઘાટ પાસે થયેલા અકસ્માતનો છે. મુંબઈ-અમદાવાદ જતી બસના અકસ્માતનો વીડિયો નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર મુંબઈ-અમદાવાદ વચ્ચે જઈ રહેલી બસમાં ભયંકર અકસ્માત થયાનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
