
હાલમાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના નામથી એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “કેન્દ્ર સરકાર દ્વારા 75 વર્ષથી ઉપરના વ્યક્તિને ઇન્કમટેક્ષ માંથી છૂટ આપવામાં આવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 07 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “કેન્દ્ર સરકાર દ્વારા 75 વર્ષથી ઉપરના વ્યક્તિને ઇન્કમટેક્ષ માંથી છૂટ આપવામાં આવી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા કરવામાં આવેલુ ટ્વિટ પ્રાપ્ત થયુ હતુ. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ભારત તેની સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરે છે, 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને હવે કર ચૂકવવો પડશે નહીં” એવો દાવો કરતો વાયરલ મૅસેજ “ખોટો” છે.” તેમજ વધુ માહિતી આપવામાં આવી હતી કે, “75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો, જેમની પાસે ફક્ત પેન્શન અને વ્યાજની આવક છે, તેમને ITR ફાઇલ કરવાથી મુક્તિ આપવામાં આવી છે (કલમ 194P મુજબ). જો લાગુ પડતું હોય, તો આવક અને પાત્ર કપાતની ગણતરી કર્યા પછી ઉલ્લેખિત બેંક દ્વારા કર કાપવામાં આવે છે”
તેમજ અમે વધુ સર્ચ કરતા અમને ઈન્કમ ટેક્ષની વેબસાઈટ પર પ્રસારિત માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે,
આવકવેરા અધિનિયમ-1961ની કલમ 194P એ 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને આવકવેરા રિટર્ન ફાઇલ કરવાથી મુક્તિ આપવા માટેની શરતો પૂરી પાડે છે.
આ શરતો નીચે મુજબ છે:
- વરિષ્ઠ નાગરિકની ઉંમર 75 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ
- વરિષ્ઠ નાગરિક પાછલા વર્ષમાં દેશના ‘નિવાસી’ હોવા જોઈએ
- વરિષ્ઠ નાગરિક પાસે પેન્શન આવક અને ફક્ત વ્યાજની આવક છે અને તે જ બેંકમાંથી ઉપાર્જિત/અર્જિત વ્યાજ આવક છે, જેમાં તે તેનું પેન્શન મેળવી રહ્યાં છે.
- વરિષ્ઠ નાગરિક નિર્દિષ્ટ બેંકમાં એક ઘોષણાપત્ર સુપરત કરશે.
- આ બેંક કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત ‘નિર્દિષ્ટ બેંક’ હોવી જોઈએ. આવી બેંકો પ્રકરણ VI-A હેઠળ કપાત અને 87A હેઠળ રિબેટને ધ્યાનમાં લીધા પછી વરિષ્ઠ નાગરિકોના TDS કપાત માટે જવાબદાર રહેશે.
- ઉપર જણાવ્યા મુજબ, ઉલ્લેખિત બેંક 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે કર કાપે છે, પછી વરિષ્ઠ નાગરિકો માટે આવકવેરા રિટર્ન ભરવાની કોઈ જરૂર રહેશે નહીં.
તેમજ વધુ સર્ચ કરતા અમને આઉટલૂકમની દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ અહેવાલ આપ્યો છે કે આવકવેરા અધિનિયમ, 1961 માં સુધારા કરવા માટે બજેટ કવાયત દરમિયાન દર વર્ષે કેટલીક દરખાસ્તો રજૂ કરવામાં આવે છે. જોકે, વરિષ્ઠ નાગરિકો માટે ઉપલબ્ધ રાહત વધારવા અંગે “આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, કેન્દ્ર સરકારે 75 વર્ષથી વધુ વયના સિનિઅર સિટિઝનને ઇન્કમટૅક્સ ભરવામાં કોઈ પણ પ્રકારની છુટ આપી નથી. વાયરલ મેસેજ તદ્દન ખોટો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર 75 વર્ષથી ઉંમરની વ્યક્તિને ઇન્કમ ટેક્ષ ભરવામાં છૂટ આપવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
