જાણો સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીના મહાભારત વિશેના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Altered સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્ઞાન પ્રકાશ સ્વામી એવું કહી રહ્યા છે કે, મહાભારતનું યુદ્ધ થયું નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંતકથા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે, “ભારત દેશની જ એક બહુ મોટી હસ્તી (નામ નથી દેવું ખોટી કોન્ટ્રોવર્સી ઉભી થાય)એ એવું સ્પષ્ટ કહેલું છે લખેલું છે કે, મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારા માન્યામાં આવતું નથી. હું નથી માનતો કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય. હા એ કથા દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે કે કોઈ લેખકે લખેલી હોય આવું લખ્યું બોલો. આખા મહાભારતના છેદ ઉડાડી દીધા એને માની લેશો. એમની બુદ્ધિ છે એને મુબારક હો ભાઈ. એની બુદ્ધિ આપણે કોઈએ સ્વીકારવાની હોતી નથી.” લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 7 માર્ચ, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક વિવાદિત વીડિયો વાયરલ | Mumbai Samachar Gyanprakash Swami Nivedan | જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક વિવાદિત વીડિયો સોશિયલ માડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે મહાભારત અંગે કહી રહ્યા છે કે, ‘મહાભારતનું યુદ્ધ થયું નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંતકથા છે.’ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા જ્ઞાનપ્રકાશ સ્વામીના વધુ એક વિવાદિત વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેમાં તે મહાભારતને લઈને ટિપ્પણી કરતા કહે કે, ‘મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારા માનવામાં આવતું નથી, હું નથી માનતો કે મહાભારત જેવું યુદ્ધ થયું હોય! હા એ કથા દંતકથા કે પ્રસંગ કથા હોઈ શકે, કે કોઈ લેખકે લખેલી હોય.’ આ વાઈરલ વીડિયોને લઈને સનાતનીઓમાં ભારે રોષ ફેલાયો છે. વ્યાસપીઠ પરથી સ્વામી આવી અજ્ઞાનની વાતો કરી રહ્યાં છે, જેના કારણે અસંખ્યા હિન્દુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જ્ઞાન પ્રકાશ સ્વામી એવું કહી રહ્યા છે કે, મહાભારતનું યુદ્ધ થયું નથી. મહાભારતને તેઓ એક કાલ્પનિક કથા કે દંતકથા છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને જ્ઞાન પ્રકાશ સ્વામીના આજ વીડિયો સાથેની પોસ્ટ એક ઈન્સ્ટાગ્રામ યુઝર દ્વારા 22 માર્ચ, 2025 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં વાયરલ વીડિયો અંગે સ્પષ્ટતા માટે જ્ઞાન પ્રકાશ સ્વામીના નિવેદનનો સંપૂર્ણ વીડિયો મૂકવામાં આવ્યો હતો. જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે, “ભારત દેશની જ એક બહુ મોટી હસ્તી (નામ નથી દેવું ખોટી કોન્ટ્રોવર્સી ઉભી થાય)એ એવું સ્પષ્ટ કહેલું છે લખેલું છે કે, મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારા માન્યામાં આવતું નથી. હું નથી માનતો કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય. હા એ કથા દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે કે કોઈ લેખકે લખેલી હોય આવું લખ્યું બોલો. આખા મહાભારતના છેદ ઉડાડી દીધા એને માની લેશો. એમની બુદ્ધિ છે એને મુબારક હો ભાઈ. એની બુદ્ધિ આપણે કોઈએ સ્વીકારવાની હોતી નથી.” 

અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો અંગે સ્પષ્ટતા કરતો વધુ એક વીડિયો એક ફેસબુક યુઝર દ્વારા 9 માર્ચ, 2025ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પણ તમે જ્ઞાન પ્રકાશ સ્વામીના પૂરા નિવેદનને સાંભળી શકો છો.

https://www.facebook.com/swaminarayanvijayte/videos/1022702316391976

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સ્વામીનારાયણ સંપ્રદાયના એક સ્વામીનો સંપર્ક કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, સ્વામીનારાયમ સંપ્રદાયને બદનામ કરવા માટે કોઈ અસામાજીક તત્વ દ્વારા જ્ઞાન પ્રકાશ સ્વામીનો આ વીડિયો એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. લોકોને આવા એડિટેડ વીડિયોને સાચા ન માનવા જોઈએ.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં તેઓ એવું કહી રહ્યા છે કે, “ભારત દેશની જ એક બહુ મોટી હસ્તી (નામ નથી દેવું ખોટી કોન્ટ્રોવર્સી ઉભી થાય)એ એવું સ્પષ્ટ કહેલું છે લખેલું છે કે, મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય એવું મારા માન્યામાં આવતું નથી. હું નથી માનતો કે મહાભારત જેવું કોઈ યુદ્ધ થયું હોય. હા એ કથા દંતકથા અને પ્રસંગ કથા હોઈ શકે કે કોઈ લેખકે લખેલી હોય આવું લખ્યું બોલો. આખા મહાભારતના છેદ ઉડાડી દીધા એને માની લેશો. એમની બુદ્ધિ છે એને મુબારક હો ભાઈ. એની બુદ્ધિ આપણે કોઈએ

સ્વીકારવાની હોતી નથી.” લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. (જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title:જાણો સ્વામીનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીના મહાભારત વિશેના નિવેદનના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: Altered