જાણો હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીને થૂંકી દીધું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

False રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર યમુના નદીનું પાણી પી રહેલા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીને પછી ફરી થૂંકી દીધું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યમુના નદીનું પાણી પી રહેલા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં નાયબસિંહ સૈની યમુના નદીનું પાણી પીને પ્રથમવાર કોગળો કરે છે અને ફરીવાર પાણી પીવે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 30 જાન્યુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ યમુનાનું પાણી પીધું અને પછી થૂંકી દીધું. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ યમુનાનું પાણી પીવાનો ઢોંગ કર્યો… અને પછી તે જ પાણી પાછું યમુનામાં થૂંકી દીધું. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીને પછી ફરી થૂંકી દીધું.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો ANI દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 29 જાન્યુઆરી, 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ દિલ્હીના પલ્લા ગામમાં યમુના નદીમાંથી પાણીની ચુસ્કી લીધી.

Archive

આ વીડિયોમાં સાતમી સેકન્ડે તે મોઢામાંથી પાણી કાઢતા જોવા મળે છે પરંતુ બાદમાં તે ફરીથી હાથમાં પાણી લઈને પીવે છે. કેજરીવાલે શેર કરેલા વીડિયોમાં 7 સેકન્ડ પછીનો ભાગ હટાવી દેવામાં આવ્યો છે.

અમારી વધુ તપાસમાં અમને સમાચાર એજન્સી પીટીઆઈના ટ્વિટર હેન્ડલ પર મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો આ વીડિયો પણ મળ્યો. યમુનાનું પાણી પીધા બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે અરવિંદ કેજરીવાલના ખરાબ ઈરાદા પર સવાલ ઉઠાવ્યા હતા.

Archive

આજ વીડિયો સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અઙીં જોઈ શકો છો. DNAIndiaNews | The Economic Times

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યમુના નદીનું પાણી પી રહેલા હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો અધૂરો વીડિયો છે. વાસ્તવિક વીડિયોમાં નાયબસિંહ સૈની યમુના નદીનું પાણી પીને પ્રથમવાર કોગળો કરે છે અને ફરીવાર પાણી પીવે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Avatar

Title: જાણો હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ યમુનાનું પાણી પીને થૂંકી દીધું હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False