
તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે, “યમુના નદીની સફાઈ કરવાથી અમને મત નહીં મળે”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં તેમણે એવું કહ્યું હતું કે, “યમુના નદીની સફાઈ કરવાથી તેમને મત નહીં મળે, પરંતુ તેઓ યમુના નદીની સફાઈ કરશે. તેઓ મત માટે રાજનીતિ કરવા નથી આવ્યા”. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 4 જાન્યુઆરી, 2025 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, “યમુના નદી સાફ કરવાથી અમને મત નહીં મળે” કેજરીવાલ ની વાત પર મોદી જી નો રીપ્લાય. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અરવિંદ કેજરીવાલે એવું કહ્યું કે, “યમુના નદીની સફાઈ કરવાથી અમને મત નહીં મળે”.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં
અમને 27 ડિસેમ્બર, 2024ના રોજ યુટ્યુબ ચેનલ “Prakhar Ke Pravachan” પર અપલોડ કરવામાં આવેલા વીડિયોના લાંબા સંસ્કરણ તરફ દોરી ગયું. આ વીડિયો જોતાં અમને જાણવા મળ્યું કે, વાયરલ વીડિયો આ વીડિયોનું ક્લિપ્ડ વર્ઝન છે.
આ સંપૂર્ણ વીડિયોમાં તમે 34:30 મિનિટની આસપાસ પ્રખર ગુપ્તા અને અરવિંદ કેજરીવાલ યમુના નદીની સફાઈના મુદ્દા પર ચર્ચા કરવાનું શરૂ કરે છે. ત્યાર બાદ 43:58 મિનિટે અરવિંદ કેજરીવાલ એવું કહે છે કે, “પ્રખર, આ દિવસોમાં હું થોડું રાજકારણ સમજી ગયો છું. યમુનાથી મને મત નહીં મળે. પણ, તેમ છતાં, હું યમુનાને સાફ કરીશ. કારણ કે, હું અહીં વોટ માટે રાજનીતિ કરવા આવ્યો નથી. તેઓ પહેલેથી જ મતની રાજનીતિ કરી રહ્યા હતા…”
નીચે તમે વીયરલ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટ કરેલો છે. વાસ્તવિક વીડિયોમાં તેમણે એવું કહ્યું હતું કે, “યમુના નદીની સફાઈ કરવાથી તેમને મત નહીં મળે, પરંતુ તેઓ યમુના નદીની સફાઈ કરશે. તેઓ મત માટે રાજનીતિ કરવા નથી આવ્યા”. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો યમુના નદીની સફાઈ વિશે અરવિંદ કેજરીવાલના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: Misleading
