જાણો ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી નાબૂદ કરવાની મહિતીનું શું છે સત્ય…

False રાજકીય I Political સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાત સરકાર દ્વારા ભરતીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નાબૂદ કરવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરાશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરવાની જે માહિતી મૂકવામાં આવી છે એ એક અફવા છે. સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 17 જુલાઈ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એં લખવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરાશે. Gujarat Govt Jobs : મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીને તેના સ્થાને કાયમી નોકરી આપવાની પ્રથા શરૂ કરવા માટે પહેલ કરી છે. વર્ગ 3 અને વર્ગ 4માં અત્યાર સુધી કોન્ટ્રાક્ટ પધ્ધતિથી સરકારી અને અર્ધ સરકારી કચેરીમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવતી હતી. હવેથી આ પ્રકારની ભરતી બંધ કરવા માટે મુખ્ય સચિવ રાજકુમારને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો આદેશ. ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરાશે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલી આજ માહિતી એક અફવા અને ખોટી હોવાની સ્પષ્ટતા કરતો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના સંયુક્ત સચિવ રોનક મહેતાની સહી સાથેનો એક પરિપત્ર પ્રાપ્ત થયો હતો. જો તમે નીચે જોઈ શકો છો.

c1a1a0a4-1868-4de0-9652-85cc2dc233b3.jpg

અમારી વધુ તપાસમાં પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતી ખોટી અને અફવા હોવાની માહિતી સાથેના સમાચાર vtvgujarati.com દ્વારા 17 જુલાઈ, 2024 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા કોન્ટ્રાક્ટથી થયેલી ભરતીનાં સ્થાને કાયમી ભરતી કરવા તથા સરકારી ભરતીમાંથી કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા અંગે નિર્ણય લેવાયો હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. જે સત્યતી વેગળા હોવાની સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ આ અંગેની સરકારની હાલની નીતી યથાત છે.

download (1).png

Archive

ઉપરોક્ત આજ માહિતી ખોટી અને અફવા હોવા અંગેના કેટલાક અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. zeenews.india.com | chitralekha.com | humdekhenge.in

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ગુજરાતમાં સરકારી નોકરીમાં કોન્ટ્રાકટ પ્રથાને બદલે કાયમી પ્રથાથી ભરતી કરવાની જે માહિતી મૂકવામાં આવી છે એ એક અફવા છે. સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડીને તેની સ્પષ્ટતા કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી નાબૂદ કરવાની મહિતીનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: False