
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુસ્લિમ ધર્મગુરુનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ ધર્મગુરુ એવું કહી રહ્યા છે કે, કુરાન આતંકવાદી બનાવવાનું શીખવાડે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ ધર્મગુરુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ પાકિસ્તાનના ઈસ્લામાબાદની લાલ મસ્જીદના મૌલવી અબ્દુલ અઝીઝનો વર્ષ 2021નો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 27 ફેબ્રુઆરી, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, આ મૌલાના ખુદ કહે છે કે કુરાન ટેરેરિસ્ટ બનાવવાનું શીખડાવે છે. હવે તો સમજી જાઓ ગુલામો. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુસ્લિમ ધર્મગુરુ એવું કહી રહ્યા છે કે, કુરાન આતંકવાદી બનાવવાનું શીખવાડે છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં
અમને એક યુટ્યુબ પેજ પર 22 ઓગસ્ટ, 2021ના રોજ અપલોડ કરવામાં આવેલું પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયોનું સંપૂર્ણ સંસ્કરણ પ્રાપ્ત થયું હતું. આ વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમને એ જાણવા મળ્યું હતું કે, આ વીડિયોમાં જે મૌલવી દેખાઈ રહ્યા છે એ પાકિસ્તાનના ઈસ્લામાબાદની લાલ મસ્જીદના મૌલવી અબ્દુલ અઝીઝ છે. ઉપરાંત આ યુટ્યુબ ચેનલ પણ પાકિસ્તાનની જ છે.
અમારી વધુ તપાસમાં અમને વીકિપીડિયા પરથી એ જાણવા મળ્યું હતું કે,આ વીડિયો પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં આવેલી લાલ મસ્જીદના ઈમામ અબ્દુલ અઝીઝનો જ છે.
વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા મૌલવીના ન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. unewstv.com | dawn.com | aninews.in
ધ લલ્લનટોપ દ્વારા પણ આજ મૌલવીના સમાચાર વર્ષ 2023માં પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુસ્લિમ ધર્મગુરુનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ભારતનો નહીં પરંતુ પાકિસ્તાનના ઈસ્લામાબાદની લાલ મસ્જીદના મૌલવી અબ્દુલ અઝીઝનો વર્ષ 2021નો છે. આ વીડિયોને ભારત સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title:જાણો કુરાન આતંકવાદી બનવાનું શીખવાડે છે એવું કહી રહેલા મૌલવીના વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Written By: Vikas VyasResult: Missing Context
