પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ યુપીના ફરૂખાબાદ પાસેના હાઈવે પરનો છે. જ્યા નિર્માણાધિન પુલ પાણીના પ્રવાહમાં વહી ગયો હતો.

વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે રસ્તા પર ખાડા પડવાની તેમજ બ્રિજ ધોવાઈ જવાના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે એક બ્રિજ પણ તુટવાનો વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બ્રિજ તુટવાની આ ઘટના ગુજરાતની છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 30 જૂન 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બ્રિજ તુટવાની આ ઘટના ગુજરાતની છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે વાયરલ વીડિયોને રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને LSN ન્યુઝ નામની યુટ્યુબ ચેનલ પર આ જ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, યુપીના ફરૂખાબાદમાં કનૌજ હાઈ-વે પર બ્રીજ પાણીના પ્રવાહને કારણે ધોવાઈ ગયો જેનાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો.
તેમજ News Nation 81 નામની ન્યુઝ ચેનલ દ્વારા પણ આ જ માહિતી સાથેનો આ જ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને સત્યરથ, દૈનિક ભાસ્કર, નવભારત ટાઈમ્સ, સહિતની ન્યુઝ વેબસાઈટ દ્વારા આ જ માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતનો નહીં પરંતુ યુપીના ફરૂખાબાદ પાસેના હાઈવે પરનો છે. જ્યા નિર્માણાધિન પુલ પાણીના પ્રવાહમાં વહી ગયો હતો.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર પુલ તુટવાની ઘટના ગુજરાતમાં બનવા પામી છે…? જાણો શું છે સત્ય….
Written By: Frany KariaResult: False
