રેહાન વાડ્રાએ 2020માં લંડનથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 2025ના CBSE 12મા બોર્ડના પરિણામોમાં તેમના નાપાસ થવાની અફવાઓ પાયાવિહોણી છે.

તાજેતરમાં CBSE 12માનું પરિણામ જાહેર થયું, જેમાં 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા. દર વખતની જેમ આ વખતે પણ છોકરીઓએ પરીક્ષામાં ટોપ કર્યું. આ સંદર્ભમાં, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાના પુત્ર રેહાન વાડ્રા વિશેની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોસ્ટ શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રિયંકા વાડ્રાનો પુત્ર રેહાન વાડ્રા સીબીએસઈ ૧૨મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 16 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પ્રિયંકા વાડ્રાનો પુત્ર રેહાન વાડ્રા સીબીએસઈ ૧૨મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં જ અમે રેહાન વાડ્રા વિશે શોધ શરૂ કરી. પરિણામમાં અમને 2 નવેમ્બર 2024ના રોજ પ્રકાશિત થયેલ ઝી ભારતનો એક અહેવાલ મળ્યો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “રેહાન વાડ્રાએ દિલ્હી, દેહરાદૂન અને લંડનથી અભ્યાસ કર્યો છે. રેહાને લંડનની SOAS યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. એવું પણ જાણવા મળ્યું છે કે, રેહાન વાડ્રા વ્યવસાયે ઇન્સ્ટોલેશન અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે. રેહાન વાડ્રાએ ‘ડાર્ક પર્સેપ્શન’ નામનું તેમનું પહેલું એકલ પ્રદર્શન યોજ્યું હતું. રેહાનના કાર્યમાં વન્યજીવન, શેરી અને વ્યાપારી ફોટોગ્રાફીનો પણ સમાવેશ થાય છે. રેહાને કોલકાતામાં ‘ધ ઈન્ડિયા સ્ટોરી’માં પ્રદર્શન કર્યું છે. રેહાને ડિસેમ્બર 2022 માં ‘અનુમાન’ નામનું પોતાનું બીજું એકલ પ્રદર્શન યોજ્યું.”
અને શોધ કરતાં અમને Ask Keralaની વેબસાઇટ મળી. અહીં આપણે રેહાન વાડ્રા વિશેની માહિતી પણ જોઈ, જે મુજબ, પ્રિયંકા ગાંધીના પુત્રનો જન્મ 29 જૂન 2000 ના રોજ થયો હતો. આ સાથે, એવું પણ કહેવામાં આવ્યું કે રેહાને તેનું શિક્ષણ દિલ્હી, દેહરાદૂન અને લંડનથી મેળવ્યું છે.
ipious નામની વેબસાઇટ અનુસાર, રેહાને 2018 માં પોતાનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું.
આ પછી, અમને ન્યૂઝ તકના યુટ્યુબ ચેનલ પર ચર્ચિત ચેહરા નામના કાર્યક્રમમાં રેહાન વાડ્રા વિશે માહિતી મળી. એવું કહેવામાં આવે છે કે રેહાને દૂન સ્કૂલમાંથી 12મું ધોરણ ભણ્યું હતું.
એબીપી ન્યૂઝ અનુસાર, 24 વર્ષીય રેહાન રાજીવ વાડ્રા વ્યવસાયે વિઝ્યુઅલ આર્ટિસ્ટ અને ક્યુરેટર છે. રેહાનની રૂચિઓ વન્યજીવન અને શેરીથી લઈને કોમર્શિયલ ફોટોગ્રાફી સુધીની છે. તેમણે નવી દિલ્હી અને મુંબઈ સહિત અન્ય ઘણા શહેરોમાં તેમના કાર્યના પ્રદર્શનો યોજ્યા છે.
અમને રેહાનની વેબસાઇટ પણ મળી જેમાં તેની ફોટોગ્રાફી અને પ્રદર્શનની એક ઝલક દર્શાવવામાં આવી છે. રેહાનના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, તે એક વિઝ્યુઅલ આર્ટિસ્ટ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રેહાન વાડ્રાએ 2020માં લંડનથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે. 2025ના CBSE 12મા બોર્ડના પરિણામોમાં તેમના નાપાસ થવાની અફવાઓ પાયાવિહોણી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:Fake News: પ્રિયંકા ગાંધીના પુત્ર રેહાન વાડ્રા 2025ના CBSE ધોરણ 12માં બોર્ડના પરિણામમાં નાપાસ થયા હોવાનો ખોટો દાવો વાયરલ…
Fact Check By: Frany KariaResult: False
