
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પ્રભાત ખબર ન્યૂઝના બ્રેકિંગમાં RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RSSના વડા મોહન ભાગવતે એવું કહ્યું કે, ભગવાન પરશુરામ કઠિયારા સમાજના હતા. તેઓ પોતાની સાથે હમેશા કુહાડી રાખતા હતા. તે કોઈ બ્રાહ્મણ પુત્ર ન હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પ્રભાત ખબર ન્યૂઝના બ્રેકિંગમાં RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો ફોટો એડિટેડ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયા યુઝર દ્વારા 19 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, હે માંડવી મુન્દ્રા ના એક્સ્ટ્રા ઓર્ડનેરી ધારાસભ્ય શ્રી AniruddhDave BJP આપ શું માનો છો
ભગવાન પરશુ રામ બ્રાહ્મણ હતા કે કઠિયારા હતા?
કેમકે આપ RSS નું ગણવેશ હાફ ચડી અને શર્ટ હતું ત્યારથી સક્રિય સ્વંય સેવક છો તો શું આપના સર સંઘ ચાલક એટલે કે RSS સંગઠન ના પિતાશ્રી મોહન ભાગવતજી જે કહી રહ્યા છે એ સત્ય છે કે ખોટું
એક સાચા ચારણ તરીકે (સત્તા ના ગુલામ ચારણ નહીં હો) હું તો વટ થી કહીશ કે આ ભાગવત નું મગચ ચસકી ગયું છે અને તે અસત્ય બોલે છે ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુ નું અવતાર છે અને બ્રાહ્મણ કુળ શિરોમણિ છે.
આપ પોતાની જાતિ ગૌરવ બતાવી ને જાહેર માં કહી શકશો કે મોહન ભાગવત ખોટો છે.
કે પછી 2027 ન ચક્કર માં ઝમીર વેચી નાખશો ભૂદેવ?
જવાબ ની આશા રાખું છું એક બ્રાહ્મણ પાસેથી. આ લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, RSSના વડા મોહન ભાગવતે એવું કહ્યું કે, ભગવાન પરશુરામ કઠિયારા સમાજના હતા. તેઓ પોતાની સાથે હમેશા કુહાડી રાખતા હતા. તે કોઈ બ્રાહ્મણ પુત્ર ન હતા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ RSSના વડાએ આ નિવેદન આપ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને મોહન ભાગવતના આ જ ફોટો સાથેની એક પોસ્ટ 13 ડિસેમ્બર, 2025ના રોજ પ્રભાત ખબરના સત્તાવાર ફેસબુક પેજ પર કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, यह भारत के लिए जीने का समय है, मरने का नहीं…
અમારી વધુ તપાસમાં અમને પ્રભાત ખબર દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર 19 ડિસેમ્બર, 2025ના રોજ કરવામાં આવેલી એક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં વાયરલ ફોટો એડિટેડ હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ વાયરલ ફોટો અને ઓરિજીનલ ફોટો વચ્ચેનો તફાવત પણ બતાવવામાં આવ્યો છે.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો પ્રભાત ખબર ન્યૂઝનો ફોટો એડિટેડ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો પ્રભાત ખબર ન્યૂઝના બ્રેકિંગમાં RSSના વડા મોહન ભાગવતના નિવેદનનો ફોટો એડિટેડ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણો ભગવાન પરશુરામ બ્રાહ્મણ ન હોવાના પ્રભાત ખબર ન્યૂઝના વાયરલ ફોટોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered


