
તાજેતરમાંસોશિયલ મીડિયા પરન્યૂઝ 18ના બ્રેકિંગમાં કથાવાચક અનિરુદ્ધાચાર્યના નિવેદનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કથાવાચક અનિરુદ્ધાચાર્યએ એવું કહ્યું કે, પરશુરામ તેમના નામની પાછળ રામ લગાવતા હતા, કોઈ પણ બ્રાહ્મણ પુત્ર પોતાના નામની પાછળ રામ નથી લગાવતો માટે તે બ્રાહ્મણ નહીં પરંતુ આદિવાસી હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટી માહિતી સાથેનોહોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ન્યૂઝ 18ના બ્રેકિંગમાં કથાવાચક અનિરુદ્ધાચાર્યના નિવેદનનો ફોટો એડિટેડ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક સોશિયાલ મીડિયાયુઝર દ્વારા22 ડિસેમ્બર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.પોસ્ટમાં મૂકવામાં આવેલાફોટોસાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, કોઇ ની લાગણી દુભાય તો કહેજો. આ લખાણમાંએવો દાવો કરવામાં આવી રહ્યો છે કે,કથાવાચક અનિરુદ્ધાચાર્યએ એવું કહ્યું કે, પરશુરામ તેમના નામની પાછળ રામ લગાવતા હતા, કોઈ પણ બ્રાહ્મણ પુત્ર પોતાના નામની પાછળ રામ નથી લગાવતો માટે તે બ્રાહ્મણ નહીં પરંતુ આદિવાસી હતા.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ કથાવાચક અનિરુદ્ધાચાર્યએ આ નિવેદન આપ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલાફોટોને ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને કથાવાચક અનિરુદ્ધાચાર્યના આ જ ફોટો સાથેની એક પોસ્ટ 10 ડિસેમ્બર, 2025ના રોજ ન્યૂઝ 18 બિહારના સત્તાવાર ફેસબુક પેજ પર કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવું લખવામાં આવ્યું હતું કે, 25 साल की लड़कियों पर दिया बयान, अब बुरे फंसे अनिरुद्धाचार्य, CJM की अदालत में दर्ज हुआ परिवाद…
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ન્યૂઝ 18 નો સંપર્ક કરતાં ફરજ પરના કર્મચારીએ અમને આ ફોટો એડિટેડ હોવાનું જણાવ્યું હતું.
નીચે તમે વાયરલ ફોટો અને ઓરિજનલ ફોટો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ભગવાન પરશુરામ વિશે માહિતી આપી રહેલા અનિરુદ્ધાચાર્યનો વીડિયો તમે નીતે જોઈ શકો છો.
ભગવાન પરશુરામ વિશે માહિતી આપી રહેલા અનિરુદ્ધાચાર્યનો વીડિયો તમે નીતે જોઈ શકો છો.
ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો કથાવાચક અનિરુદ્ધાચાર્યના નિવેદનનો ન્યૂઝ 18નો ફોટો એડિટેડ છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનુંસાબિત થાય છે કારણ કે,પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ન્યૂઝ 18ના બ્રેકિંગમાં કથાવાચક અનિરુદ્ધાચાર્યના નિવેદનનો ફોટો એડિટેડ છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
Title:જાણોભગવાન પરશુરામ બ્રાહ્મણ ન હોવાના ન્યૂઝ 18ના વાયરલ ફોટોનુંશું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Altered


