શું ખરેખર ભારતના મૌલ્વી દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

Communal ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, એક મુસ્લિમ શખ્સ હિન્દુઓને ધમકી ભર્યા શબ્દો કહેતા સાંભળી શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભારતના મૌલવી દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 10 જાન્યુઆરી 2026ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભારતના મૌલવી દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી હોવાનો આ વીડિયો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને ટ્વિટર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેમાં એક બાંગ્લાદેશની ચેનલનો લોગો જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

જે ક્લુના આધારે અમે સર્ચ કરતા અમને ઓરિજનલ વીડિયો આ ચેનલના ફેસબુક પેજ પર પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “આ વીડિયોમાં માહિતી આપનાર બાંગ્લાદેશના મૌલાના હબીબુલ્લાહ ઉસામા અરમાની છે.

તેમજ વધુ સર્ચ કરતા અમને ET Now Swadesh દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ મૌલાના ને લઈ એક સ્પેશિયલ બુલેટિયન બહાર પાડ્યુ હતુ, જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, તે બાંગ્લાદેશના મૌલાના છે. તમે આ વીડિયો પણ જોઈ શકો છો.

તેમજ વધુ સર્ચ કરતા અમને આ મૌલાનાનું ઓફિશિયલ ફેસબુક પેજ પ્રાપ્ત થયુ હતુ જેમાં તેણે આ વીડિયો 22 માર્ચ 2025ના અપલોડ કર્યો હતો, તેમજ તે હાથઝારી, ચિત્તાગોંગ બાંગ્લાદેશનો રહેવાસી હોવાનું જણાવ્યુ હતુ.   

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ભારતના કોઈ મૌલવી નથી પરંતુ બાંગ્લાદેશના મૌલાના હબીબુલ્લાહ ઉસામા અરમાનીનો છે, ભારતના મૌલવીનો હોવાની વાત તદ્દન ખોટી છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ભારતના મૌલ્વી દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *