શું ખરેખર ભાજપાના નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના વખાણ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

ગેરમાર્ગે દોરનાર I Misleading રાજકીય I Political રાષ્ટ્રીય I National

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપના નેતા કુમાર કાનાણીનો ગુજરાતની ભાજપ સરકાર વિરૂદ્ધમાં નિવેદન આપતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપા નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના સમર્થનમાં તેમજ ભાજપા વિરૂદ્ધ નિવેદન આપવમાં આવ્યુ.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ભાજપા નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના સમર્થનમાં તેમજ ભાજપા વિરૂદ્ધ નિવેદન આપવમાં આવ્યુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કુમાર કાનાણી દ્વારા તેમના સત્તાવાર ફેસબુક પેજ પર 18 જુલાઈ, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, કુમાર કાનાણી 9.45 મિનિટ પછી એવું કહી રહ્યા છે કે, જે ગામમાં કોરોનામાં લોકો મૃત્યુ પામ્યા હોય ત્યાં આપના નેતાઓ જાય છે ત્યાં જે લોકો મૃત્યુ પામ્યા હોય તેમના ફોટા લગાવ્યા હોય, તેમને ફૂલહાર ચડાવ્યા હોય, દીપ પ્રાગટ્યની વ્યવસ્થા કરેલી હોય. આપના નેતાઓ ત્યાં જાય પુષ્પાંજલિ કરે, ફૂલ અર્પણ કરે અને શ્રદ્ધાંજલિ આપે. ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરે અને દીપ પ્રાગટ્ય કરતાં કરતાં તાળીઓ પાડે જાણે કે કોઈ ઉદ્ઘાટન કરતા હોય. ત્યાર પછી ભાષણો શરુ થાય. ભાષણોની અંદર કહેવામાં આવે કે, 2022 માં તમે અમને સરકાર બનાવવા માટે મદદ કરો, અમને મત આપો. આ વખતે ભાજપની સરકાર બનાવવાની નથી અમારી સરકાર બનાવવાની છે કારણ કે, કોરોનામાં જે કોઈ મૃત્યું પામ્યા છે ગુજરાતના નાગરિકો એ તમામ ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારીને લીધે, તેની અણઆવડતને કારણે. એ વ્યવસ્થા ન કરી શક્યા એના કારણે. મૃત્યુ પામ્યા છે એ જે કોઈ મૃત્યુ થયા છે એની જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. 

નીચે તમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ભાજપના નેતા કિશોર કુમાર કાનાણીના વાયરલ વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ભાજપના નેતા કુમાર કાનાણીના નિવેદનનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ભાજપના નેતા કુમાર કાનાણીના નિવેદનનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર ભાજપાના નેતા કુમાર કાનાણી દ્વારા કોંગ્રેસના વખાણ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

Written By: Frany Karia  

Result: Misleading