પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એપ્રિલ 2025નો છે. હાલમાં આ પ્રકારે કોઈ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી નથી. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

હાલ ઝી ન્યુઝની એક બ્રેકિંગ પ્લેટ વાયરલ થઈ રહી છે. જેમાં લખવામાં આવ્યુ છે કે, “આગાહીકાર અંબાલાલ પટેલે યુદ્ધની આગાહી કરી, અંબાલાલ પટેલે હુમલાની કરી આગાહી, ગુજરાત તરફ પણ હુમલો થવાની આગાહી, સુઈગામ તરફનો ભાગ સાચવવા આગાહી કરી, બાંગ્લાદેશ બોર્ડર તરફ પણ હુમલો થવાની આગાહી.” આ વીડિયો ક્લિપને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા હાલમાં યુદ્ધ થવાની આગાહી કરવામાં આવી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 01 ઓક્ટોબર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા હાલમાં યુદ્ધ થવાની આગાહી કરવામાં આવી.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઝી 24 ક્લાકની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ બ્રેકિંગ ન્યૂઝ પ્લેટ પ્રાપ્ત થઈ હતી. જે 25 એપ્રિલ 2025ના શેર કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આ જ માહિતી સાથેનો વિસ્તૃત અહેવાલ ઝી24 ક્લાક દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. જે અહેવાલ પણ 25 એપ્રિલ 2025ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી સાચી પડી છે. જી હા…અંબાલાલ પટેલે આજથી 15 દિવસ પહેલા જ આતંકી હુમલો થવાની આગાહી કરી હતી. જે આખરે સાચી પડી ગઈ છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે દેશમાં આતંકવાદી પ્રવૃતિઓ વધશે, બોર્ડર પર હલચલ થશે. ભારતીય સીમાઓ સાચવવી પડશે. આ બધી આગાહીઓ કરીને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. તમને જણાવી દઈએ કે આજથી 15 દિવસ પહેલા અંબાલાલ પટેલે ગ્રહો અને નક્ષત્રોની ચાલ જોઈને આતંકી હુમલાની આગાહી કરી હતી.”

તેમજ ગુજરાત ફર્સ્ટ, સહિતના મીડિયા હાઉસ દ્વારા પણ આ અંગે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો.
એબીપી ન્યુઝ દ્વારા પણ આ અંગે માહિતી આપતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ અમારી પડતાલને વધુ મજબૂત કરવા અમે અંબાલાલ પટેલ સાથે વાત કરી હતી, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારની કોઈ આગાહી તેમના દ્વારા હાલમાં કરવામાં આવી નથી. આ પ્રકારની આગાહી તેમણે ભૂતકાળમાં કરવામાં આવી હતી. હાલમાં તેનો કોઈ સંદર્ભ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો હાલનો નહીં પરંતુ એપ્રિલ 2025નો છે. હાલમાં આ પ્રકારે કોઈ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી નથી. આ વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર અંબાલાલ પટેલ દ્વારા હાલમાં યુદ્ધની આગાહી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Missing Context
