
કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી લખનઉની સ્પેશિયલ એમપી-એમએલએ કોર્ટમાં માનહાનિના કેસમાં હાજર થયા હતા. આ દરમિયાન કોર્ટે રાહુલને કસ્ટડીમાં લેવાનો આદેશ આપ્યો હતો પરંતુ જામીન અરજી સ્વીકાર્યા બાદ તેમને છોડી મૂક્યા હતા. રાહુલ ગાંધીની કોર્ટમાં હાજરીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ન્યાયાધીશ પોતે રાહુલ ગાંધીના ચાહક બની ગયા હતા અને સેલ્ફી લીધી હતી.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 જૂલાઈ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ન્યાયાધીશ પોતે રાહુલ ગાંધીના ચાહક બની ગયા હતા અને સેલ્ફી લીધી હતી.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અનિરૂદ્ધ વિશ્વકર્મા જર્નાલિસ્ટ દ્વારા શેર કરવામાં આવેલી ફેસબુક પોસ્ટ પ્રાપ્ત થઈ હતી જેમાં વાયરલ ફોટોમાં દેખાતા વકીલ દ્વારા શેર કરવામાં આવેલી ફેસબુક પોસ્ટનો સ્ક્રિનશોટ મુકવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, આ ફોટોમાં દેખાતા વ્યક્તિ સિનિયર એડવોકેટ શૈયદ મહમુદ હુસેન છે જે જજ નથી. આ પોસ્ટ તમે નીચે જોઈ શકો છો.
ત્યારબાદ અમે શૈયદ મહમુદ ના ફેસબુક એકાઉન્ટ પર જઈ વાયરલ પોસ્ટ શોધવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમના દ્વારા આ પોસ્ટ ડિલિટ કરી નાખવામાં આવી હતી.
ત્યારબાદ વધુ સર્ચ કરતા અમને કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે દ્વારા પણ આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યુ હતુ કે, આ જજ નહીં પરંતુ વકીલ છે. જે તમે નીચે જોઈ શકો છો.
તેમજ વધુ સર્ચ કરતા અમને એનડીટવી દ્વારા પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “જ્યારે સેલ્ફી લેનાર વ્યક્તિની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે ન્યાયાધીશ નહીં પણ વકીલ હતો. તેનું નામ સૈયદ મહમૂદ હસન છે. તે બારાબંકી જિલ્લાનો રહેવાસી છે. તે 2006 થી લખનઉંની જિલ્લા કોર્ટમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. વકીલ સૈયદ મહમૂદ હસન બે વાર બાર એસોસિએશનની ચૂંટણી પણ લડી ચૂક્યા છે, પરંતુ જીતી શક્યા નથી. તેમણે કહ્યું કે તેઓ રાહુલ ગાંધીને નેતા તરીકે પસંદ કરે છે. જ્યારે સૈયદ મહમૂદ હસનને વાયરલ ફોટો વિશે પૂછવામાં આવ્યું કે શું કોર્ટ રૂમની અંદર સેલ્ફી લેવી માન્ય છે? આ પ્રશ્નના જવાબમાં હસને કહ્યું કે તે સમયે ઘણા વકીલો સેલ્ફી લઈ રહ્યા હતા, તેથી મેં પણ એક લીધી. હવે હું કહી શકતો નથી કે તે માન્ય છે કે નહીં.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે. તે જજ નહીં પરંતુ લખનઉં કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ સૈયદ મહમૂદ હસન છે. જજ હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર રાહુલ ગાંધી સાથે ન્યાયધીશ દ્વારા કોર્ટ પરિસરમાં સેલ્ફી લેવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
