1 સપ્ટેમ્બર 2019 ના રોજ કેન્દ્ર સરકારે મોટર વાહન સુધારા અધિનિયમ 2019ની 63 જોગવાઈઓ લાગુ કરી હતી. ત્યારબાદ કોઈ નવો સુધારો લાગુ કરવામાં આવ્યો નથી.

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “દેશમાં ટ્રાફિક ચલણના દરમાં વધારો થયો છે. જે વધારો 1 માર્ચ 2025થી લાગુ કરવામાં આવી રહ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 02 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “દેશમાં ટ્રાફિક ચલણના દરમાં વધારો થયો છે. જે વધારો 1 માર્ચ 2025થી લાગુ કરવામાં આવી રહ્યો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે આ અંગે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ પ્રકારે કોઈ સુધારો સરકાર દ્વાર કરવામાં આવ્યો નથી. સુધારો કર્યો હોવાની કોઈ માહિતી અમને પ્રાપ્ત થઈ ન હતી.
ત્યારબાદ વધુ શોધ કરતા અમને ભાસ્કર દ્વારા પ્રસારિત છ વર્ષ જૂનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, 1 સપ્ટેમ્બર 2019 થી કેન્દ્ર સરકારે મોટર વાહન સુધારા અધિનિયમ, 2019ની 63 જોગવાઈઓ લાગુ કરી છે. કોંગ્રેસ શાસિત મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ તેમજ પશ્ચિમ બંગાળ અને તેલંગાણાની રાજ્ય સરકારોએ નવા કાયદાનો અમલ કર્યો ન હતો.
આ સમાચારમાં નવા કાયદા દ્વારા લાવવામાં આવેલા મુખ્ય ફેરફારોનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે.
તેમજ આ કાયદાનું નોટિફિકેશન અંગે સર્ચ કરતા અમને આ કાયદા અંગે વિગતવાર માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે આ લિકં પર ક્લિક કરી વાંચી શકાય છે. ઘણા સુધારાઓ પછી તેને 2019માં લાગુ કરવામાં આવ્યું. કાયદા સંબંધિત ભારતનું ગેઝેટ અહીં વાંચી શકાય છે.
Embed
તેમજ વધુ સર્ચ કરતા અમને અમને PIB ઇન્ડિયા દ્વારા પ્રકાશિત એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં નવા દંડ વિશેની માહિતી PIB ઇન્ડિયા દ્વારા 1 ઓગસ્ટ 2019ના રોજ આપવામાં આવી હતી. મોટર વાહન સુધારો અધિનિયમ 2019 આજથી અમલમાં આવી ગયો છે, હવે લાલબત્તી તોડવા બદલ 5000 રૂપિયાનો દંડ, દારૂ પીને વાહન ચલાવવા બદલ 10 હજાર રૂપિયાનો દંડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 1 સપ્ટેમ્બર 2019 ના રોજ કેન્દ્ર સરકારે મોટર વાહન સુધારા અધિનિયમ 2019ની 63 જોગવાઈઓ લાગુ કરી હતી. ત્યારબાદ કોઈ નવો સુધારો લાગુ કરવામાં આવ્યો નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર 1 માર્ચ 2025થી ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
