જાણો તાજેતરમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Missing Context રાષ્ટ્રીય I National સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થયો હતો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021માં શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક સોશિયલ મીડિયા યુઝર દ્વારા 28 ઓક્ટોબર, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, શ્રેયસ ઐયર આપણા ભારતીય ટીમ નો ખેલાડી જ્યારે દેશ માટે તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ આપવા જતા ઈજા ગ્રસ્ત થાય તો આપણે સૌ દેશવાસીઓએ તેના માટે પ્રાર્થના કરી શુભેચ્છા પાઠવી જોઈએ જેથી તે જલ્દીથી સારો થાય અને તેનું મનોબળ ન તૂટે આભાર… આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે મેચમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર ઈજાગ્રસ્ત થયો હતો તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરુઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આ જ ફોટો સાથેના સમાચાર timesofindia.indiatimes.com દ્વારા 8 એપ્રિલ, 2021ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે,  વર્ષ 2021માં શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ખભામાં ઈજા થઈ હતી. જેની સફળ સર્જરી થતાં શ્રેયશે જલ્દી પરત ફરવા અંગે સોશિયલ મીડિયા પર ફોટો સાથે પોસ્ટ કરી હતી.

અમારી વધુ તપાસમાં અમને આ જ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. sports.ndtv.com | livehindustan.com

ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પણ આ જ ફોટો સાથેની પોસ્ટ 8 એપ્રિલ, 2021ના રોજ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2021માં શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં ઈજાગ્રસ્ત થયો હતો ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો તાજેતરમાં ઈજાગ્રસ્ત થયેલા ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *