
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અયોધ્યા રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ ગઈ તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલી દિવાલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટેશનનો નહીં પરંતુ જૂના રેલવે સ્ટેશનની દિવાલનો એક ભાગ છે. એ પણ બીજી તરફ કોઈ વ્યક્તિ દ્વારા તેની ખાનગી જગ્યા પર ખોદકામ કરતાં તેમજ એ જગ્યાએ પાણી ભરાતાં દિવાલ તૂટી ગઈ હોવાનું રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટેશન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 23 જૂન, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું હતું કે, અયોધ્યા જંકશન નાં દર્શન કરી ને ધન્યતા અનુભવી લ્યો રોયાવ…. હજી થોડાક મહિના પહેલાં જ સાયપે એનાં સગાં હાથે ઉદ્ઘાટન કર્યું હતું…..ઓમ્ શાંતિ 🙏 આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ ગઈ તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ તેનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને newsnationtv.com દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આ હતી કે, અયોધ્યાના નવીન રેલવે સ્ટેશનની દિવાલ ધરાશાયી થઈ હોવાની માહિતી તદ્દન ખોટી છે. આ દિવાલ જૂના રેલવે સ્ટેશનનો એક ભાગ હતી. જ્યાં કોઈ એક વ્યક્તિ દ્વારા તેની ખાનગી જમીન પર કરવામાં આવેલા ખોદકામ અને એ જગ્યા પર ભરાઈ રહેલા પાણીને કારણે આ દિવાલ તૂટી ગઈ હતી.
આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. india.com | hindi.opindia.com
અમારી વધુ તપાસમાં અમને PIB Fact Check અને Northern Railway દ્વારા પણ વાયરલ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી ખોટી હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં તૂટેલી દિવાલનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટેશનનો નહીં પરંતુ જૂના રેલવે સ્ટેશનની દિવાલનો એક ભાગ છે. એ પણ બીજી તરફ કોઈ વ્યક્તિ દ્વારા તેની ખાનગી જગ્યા પર ખોદકામ કરતાં તેમજ એ જગ્યાએ પાણી ભરાતાં દિવાલ તૂટી ગઈ હોવાનું રેલવે તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ વીડિયોને અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટેશન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title: જાણો તાજેતરમાં અયોધ્યા ખાતે બનેલા નવીન રેલવે સ્ટોશનની દિવાલ ધરાશાયી થઈ હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: Misleading
