
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી ક્રિસમસની ઉજવણી કરી હતી. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2023 માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ ફ્રાઈડેના દિવસે દિલ્હી ખાતે એક ચર્ચની મુલાકાત લીધી હતી ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ક્રિસમસ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 25 ડિસેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જુઓ Amrish ભૈ, પપ્પા ખુશી ખુશી Christmas celebrations કરે છે, અને પપ્પા ના છોકરા છોકરીઓ તુલસી પૂજન ની પીપુડી વગાડે છે..🤦🏻🙄🤣. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી ક્રિસમસની ઉજવણી કરી હતી.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર news18.com દ્વારા 12 એપ્રિલ, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે આવેલા એક ચર્ચમાં ગુડ ફ્રાઈડેના તહેવારના દિવસે ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી હતી.
અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો સાથેના અન્ય સમાચાર પણ પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. latestly.com | timesofindia.indiatimes.com
આજ ફોટો સાથેનો વીડિયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વર્ષ 2023 માં તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ઈશુ ખ્રિસ્ત આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના જે ફોટો મૂકવામાં આવ્યો છે એ વર્ષ 2023 માં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુડ ફ્રાઈડેના દિવસે દિલ્હી ખાતે એક ચર્ચની મુલાકાત લીધી હતી ત્યારનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ કે ક્રિસમસ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Title:જાણો ઈશુ ખ્રિસ્તની આગળ મીણબત્તી સળગાવીને પ્રાર્થના કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયરલ ફોટોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: False
