
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ મહાકુંભમાં થયેલી દુ:ખદ ભાગદોડ માટે ઉત્તર પ્રદેશ સરકારની ટીકા કરી છે. તેમણે અહેવાલ મુજબ કહ્યું હતું કે ભાગદોડ પછી સરકારને સત્તામાં રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. આ પૃષ્ઠભૂમિમાં, શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને મહાકુંભ સાથે જોડવામાં આવી રહ્યો છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, “આ વીડિયો હાલમાં ચાલી રહેલા મહાકુંભમાં શંકરાચાર્ય પર તાજેતરમાં થયેલા લાઠીચાર્જનો વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 12 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો હાલમાં ચાલી રહેલા મહાકુંભમાં શંકરાચાર્ય પર તાજેતરમાં થયેલા લાઠીચાર્જનો વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગુગલ પર રિવર્સ ઇમેજ સર્ચ કરીને અમારી તપાસ શરૂ કરી અને પરિણામો પરથી અમને 24 સપ્ટેમ્બર 2015ના રોજ આજતકની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા એક વિડિઓ રિપોર્ટ તરફ દોરી ગયા. કેપ્શનમાં જણાવાયું છે કે, ગંગામાં ગણેશ મૂર્તિ વિસર્જનની માંગણી માટે ધરણા વિરોધ પ્રદર્શન કરવા બદલ સ્થાનિક લોકોએ લાઠીચાર્જ કર્યો.
અહેવાલો મુજબ, ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગણેશ મૂર્તિ વિસર્જનને લઈને સંતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સહિત ઘણા સંતો ઘાયલ થયા હતા. પોલીસે મૂર્તિનું લક્ષ્મી કુંડમાં વિસર્જન કરાવ્યું હતું. લગભગ 30 લોકોને ઇજાઓ થઈ હતી, જ્યારે 25 લોકોને CrPCની કલમ 144નું ઉલ્લંઘન કરવા ઉપરાંત રમખાણો અને પથ્થરમારા માટે ધરપકડ કરવામાં આવી હતી. વારાણસીમાં ગંગા નદીમાં ગણેશ મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવાના ઉત્તર પ્રદેશ સરકારના નિર્ણય સામે સ્વામી અવિમુક્તેશ્વરાનંદના નેતૃત્વમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
આગળ વધતાં, અમને સપ્ટેમ્બર 2015માં અપલોડ કરાયેલો ફર્સ્ટ ઇન્ડિયા ન્યૂઝ દ્વારા એક વીડિયો રિપોર્ટ પણ મળ્યો. વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું હતું કે, વારાણસીમાં મૂર્તિ વિસર્જનને લઈને પોલીસે સંતો પર લાઠીચાર્જ કર્યો. ગંગા નદીમાં ગણેશ મૂર્તિના વિસર્જનના મુદ્દા પર સંઘર્ષ શરૂ થયો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વાયરલ વીડિયો 2015નો છે, જ્યારે વારાણસીમાં ગણેશ વિસર્જનના વિરોધ દરમિયાન પોલીસે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સહિત અનેક સંતો પર લાઠીચાર્જ કર્યો હતો. તેનો પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ પર લાઠીચાર્જનો 2015નો વીડિયો પ્રયાગરાજ મહાકુંભ સાથે લિંક કરવામાં આવી રહ્યો…
Fact Check By: Frany KariaResult: Misleading
