બલુચિસ્તાન ટ્રેન અપહરણ ઘટનામાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના શબપેટીઓ દર્શાવતો ૧૪ વર્ષ જૂનો ફોટો વાયરલ થયો છે…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

પાકિસ્તાની ધ્વજમાં લપેટાયેલા શબપેટીઓની તસવીર બલુચિસ્તાન ટ્રેન હાઇજેક સાથે સંબંધિત નથી, 14 વર્ષ જૂની તસવીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.

તાજેતરમાં, અલગતાવાદી જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA)એ ક્વેટાથી પાકિસ્તાનના પેશાવર જતી જાફર એક્સપ્રેસ પર હુમલો કર્યો અને 400 થી વધુ મુસાફરોને લઈ જતી ટ્રેન પર કબજો જમાવ્યો. અહેવાલો અનુસાર, BLA ના નિવેદન મુજબ, ટ્રેન હાઇજેકિંગ પછી, તેઓ કુલ 214 બંધકોને પોતાની સાથે લઈ ગયા અને બાદમાં તે બધાને મારી નાખ્યા. જ્યારે પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, 33 BLA લડવૈયાઓના મોતના સમાચાર પણ હતા. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે, જેમાં એક તસવીરમાં ઘણા શબપેટીઓ દેખાય છે, શબપેટીઓ પર પાકિસ્તાનનો ધ્વજ દેખાય છે, અને ત્યાં હાજર કેટલાક લોકો મહિલાઓની નમાઝ અદા કરતા જોવા મળે છે. આ ફોટો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ તાજેતરની બલુચિસ્તાન ટ્રેન હાઇજેકિંગ ઘટનામાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના શબનો છે.” 

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 15 માર્ચ 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ તાજેતરની બલુચિસ્તાન ટ્રેન હાઇજેકિંગ ઘટનામાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના શબનો છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

અમારી તપાસની શરૂઆતમાં અમે ફોટોની રિવર્સ ઇમેજ સર્ચ કરી. આમ કરતાં, અમને આ ફોટો 11 ફેબ્રુઆરી, 2011ના રોજ ધ ઇન્ડિપેન્ડન્ટની વેબસાઇટ પર પ્રકાશિત થયેલા અહેવાલમાં મળ્યો. સમાચાર અનુસાર, 10 ફેબ્રુઆરી 2011ના રોજ, ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના મર્દાન શહેરમાં સ્થિત પંજાબ રેજિમેન્ટ સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સ્કૂલ યુનિફોર્મ પહેરેલા આત્મઘાતી બોમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં લગભગ 31 સૈનિકો અને કેડેટ્સ માર્યા ગયા હતા.  

અને શોધ કરતાં, અમને ઇમેજ સ્ટોક અલામી વેબસાઇટ પર પણ આવી જ એક છબી મળી. વેબસાઇટ પરના ફોટા સાથે ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ફોટો 11 ફેબ્રુઆરી, 2011 ના રોજ સમાચાર એજન્સી શિન્હુઆ દ્વારા લેવામાં આવ્યો હતો, જેમાં પંજાબ રેજિમેન્ટ સેન્ટર પરના હુમલામાં માર્યા ગયેલા સૈનિકોના અંતિમ સંસ્કારમાં સેના અને સરકારી અધિકારીઓ હાજરી આપતા દર્શાવવામાં આવ્યા હતા.

અમને 10 સપ્ટેમ્બર 2013ના રોજ ટ્રિબ્યુન પાકિસ્તાન દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં આ જ વાયરલ ફોટો મળ્યો. અહેવાલમાં, આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ પર કરવામાં આવેલા સર્વે વિશે એક સમાચાર લખવામાં આવ્યા હતા. ઉપરાંત, ફોટાના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે ખૈબર પખ્તુનખ્વાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમીર હૈદર ખાન હોતી આત્મઘાતી વિસ્ફોટના પીડિતો માટે અંતિમ સંસ્કારની નમાઝ અદા કરી રહ્યા હતા.

અમારી તપાસમાં અમને મળેલા અહેવાલો અનુસાર, આ વિસ્ફોટમાં હુમલાખોરની ઉંમર 19-20 વર્ષ હતી અને તાલિબાને હુમલાની જવાબદારી લીધી હતી. વાયરલ ફોટો તે સમયે પ્રકાશિત થયેલા સમાચારમાં શેર થયેલો જોઈ શકાય છે. તેથી, આપણે કહી શકીએ કે શબપેટીઓની વાયરલ તસવીર બલુચિસ્તાન ટ્રેન હાઇજેકિંગ સાથે સંબંધિત નથી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ ફોટોનો બલુચિસ્તાન ટ્રેન હાઇજેક સાથે કોઈ સંબંધ નથી. આ 14 વર્ષ જૂનો ફોટો છે. જ્યારે પાકિસ્તાનના મરદાન શહેરમાં પાકિસ્તાની આર્મી ટ્રેનિંગ સેન્ટરમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટમાં લગભગ 31 લોકો માર્યા ગયા હતા. તે જ સમયનો ફોટો બલુચિસ્તાન ટ્રેન હાઇજેકિંગ સાથે જોડવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:બલુચિસ્તાન ટ્રેન અપહરણ ઘટનામાં માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના શબપેટીઓ દર્શાવતો ૧૪ વર્ષ જૂનો ફોટો વાયરલ થયો છે…

Fact Check By: Frany Karia 

Result: False