પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિનું કોઈ અપમાન કરવામાં આવ્યુ નથી.

ભારતના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ એલ. કે અડવાણીના ઘરે જઇને સન્માનિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી ર્મુમુ ઉભા જોવા મળે થે જ્યારે પ્રધાનમંત્રી અને અડવાણી બને ત્યા બાજુમાં બેસેલા જોવા મળે છે, આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યુ.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 31 માર્ચ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિનું અપમાન કરવામાં આવ્યુ.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ પ્રસંગની બીજી ઘણી તસ્વીરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી. જેમાં જોઈ શકાય છે કે રાષ્ટ્રપતિ એક અલગ ઉચ્ચા સ્થાન પર બિરાજમાન છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ આ પ્રસંગનો સંપૂર્ણ વીડિયો પણ નરેન્દ્ર મોદીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં જોઈ શકાય છે કે, રાષ્ટ્રપતિ દ્રોપદી ર્મુમુ દ્વાર જ્યારે એવોર્ડ આપવામાં આવે છે ત્યારે તેઓ પોતાના સ્થાનેથી ઉભા થઈ અને અડવાણી પાસે જાય છે. તે સમયેની તસ્વીરને સોશિયલ મીડિયા પર ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. આ પ્રસંગનો સંપુર્ણ વીડિયો તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટો ખોટા દાવા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિનું કોઈ અપમાન કરવામાં આવ્યુ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:પીએમ નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી ર્મુમુનું અપમાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Misleading
