શું ખરેખર ફરી ગુજરાતના શહેરોમાં કર્ફ્યુ લાગવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Zakir Patrawala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “BREKING NEWS. ડીજીપી શીવાનંદ જા ની આજે  પ્રેસ કોન્ફરન્સ રાત્રે 9 વાગે ગુજરાતના જીલ્લા મા CRPF તૈનાત. ગોઘરા, વડોદરા, અમદાવાદ, આણદ, દાહોદ,સુરત રાજકોટ, મોરબી, જામનગર, જુનાગઢ, કચ્છ, ભરૂચ ,પોરબંદર,  અત્યારે ગામ માં રખડતા 45 જણા ની અટકાયત. આ ધરપકડ એપિડેમીક ડિઝીઝ એકટ 1987 ના કાયદા અંતર્ગત છે, જે જામીનપાત્ર નથી અને 5 વર્ષ ની સજા નું પ્રાવધાન છે.  ઘરે બેસો, નહિતર જેલમા બેસવાનો વારો છે, બધા ગ્રુપ માં ફોરવર્ડ કરો અને પોતાના ઓળખીતાને આ ગુના માથી બચાવો.” લખાણ હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 18 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 20 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાતના જિલ્લામાં ફરી કર્ફ્યુ લાગવા જઈ રહ્યુ છે. જેની માહિતી ગુજરાતના ડીજીપી દ્વારા આપવામાં આવશે.”

FACEBOOK | FB POST ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને તારીખ 1 મે 2020નો તેજગુજરાતી વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં પોસ્ટમાં જે મેસેજ છે તે જ મુકવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

TEJGUJARATI | ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી એ તો સાબિત થયુ હતુ કે, પોસ્ટ સાથેનો મેસેજ હાલનો નથી. ત્યારબાદ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને શિવાનંદ ઝાની તારીખ 28 માર્ચ 2020ની પ્રેસ કોન્ફન્સ પ્રાપ્ત થઈ હતી, જેમાં તેમણે આ માહિતી આપી હતી. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/watch/?ref=search&v=237106377433480&external_log_id=8d5d9e64-f564-4c84-9e9b-bbc95bf34932&q=%E0%AA%A1%E0%AB%80%E0%AA%9C%E0%AB%80%E0%AA%AA%E0%AB%80+%E0%AA%B6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6+%E0%AA%9C%E0%AA%BE+%E0%AA%A8%E0%AB%80+%E0%AA%86%E0%AA%9C%E0%AB%87%E0%AA%A1%E0%AB%80%E0%AA%9C%E0%AB%80%E0%AA%AA%E0%AB%80+%E0%AA%B6%E0%AB%80%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8%E0%AA%82%E0%AA%A6+%E0%AA%9C%E0%AA%BE+%E0%AA%A8%E0%AB%80+%E0%AA%86%E0%AA%9C%E0%AB%87

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સાથે વાત કરી હતી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ આયોજન કરવામાં આવ્યુ નથી. આ એક અફવા છે. લોકોએ આ પ્રકારની અફવાઓથી દૂર રહેવું જોઈએ..”

તેમજ 1 જૂલાઈથી અનલોક-2માં સરકાર ઘણી છૂટ-ઠાટ આપવા જઈ રહી છે. આ અંગેની માહિતી આપતો વીટીવીનો અહેવાલ તમે નીચે જોઈ શકો છો. 

વીટીવી | ARCHIVE

પરિણામ

આમ, અમારી પડાતલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ગુજરાતમાં ક્યાંય પણ કર્ફ્યુ લગાવવામાં નથી આવી રહ્યુ. અનલોક-2માં વધૂ છૂટછાટ મળવાની શક્યતા છે.

Avatar

Title:શું ખરેખર ફરી ગુજરાતના શહેરોમાં કર્ફ્યુ લાગવા જઈ રહ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False