જલારામ બાપાના વારસદાર જયસુખરામ બાપાનું હાલમાં અવસાન થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. તેમનું નિધન વર્ષ 2016માં થયુ હતુ. હાલમાં ખોટી રીતે તેને પ્રસારિત કરવામાં આવી રહ્યુ છે.

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જલારામ બાપાના વારસદાર જયસુખ રામ બાપાનું હાલમાં 88 વર્ષની વયે અવસાન થયુ.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

क्राइमऐक्सपोझर कीशोरटीलाला નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ઓગસ્ટ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “જલારામ બાપાના વારસદાર જયસુખ રામ બાપાનું હાલમાં 88 વર્ષની વયે અવસાન થયુ.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને સંતજલારામ.ઈન નામની વેબસાઈટ પર પ્રસારિત અહેવાલ પ્રાપ્ત થયો હતો, જે અહેવાલ 29 ઓગસ્ટ 2016ના પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “વીરપુર જલારામ બાપાના ચોથી પેઢીના વારસદાર જયસુખબાપાનો દેહ પંચમહાભૂતમાં વિલિન થયો છે. શનિવારે સાંજે 4.45 કલાકે રાજકોટમાં દેહ વિલય થયો છે. ત્યારે લાખો ભક્તોમાં શોકની લાગણી જોવા મળી હતી. તેમનું નિધન થતાં રવિવારે તેમના અંતિમ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે આજે મોરારિ બાપુ પણ તેમના અંતિમ દર્શને આવ્યા હતા. આ પછી વીરપુરમાં જયસુખરામ બાપાની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા. આ પછી તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. શનિવારે જયસુખરામ બાપાનું 88 વર્ષે નિધન થયું હતું.

તેમજ વધુ સર્ચ કરતા અમને azadsandesh.in દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે પણ 29 ઓગસ્ટ 2016ના પ્રસારિત કરવામાં આવ્યો હતો. જેમાં પણ ઉપરોક્ત માહિતી જ આપવામાં આવી હતી. તેમજ અંતિમ સંસ્કારના ફોટો પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

આઝાદસંદેશ.ઈન | સંગ્રહ

આ સમાચાર અંગે વિસ્તૃત માહિતી આપતો અહેવાલ મિડ-ડે, દિવ્યભાસ્કર, પ્રસારિત કરવામાં આવ્યો હતો. તેમજ તેમની અંતિમ સંસ્કારનો અહેવાલ એબીપી અસ્મિતા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, જલારામ બાપાના વારસદાર જયસુખરામ બાપાનું હાલમાં અવસાન થયુ હોવાની વાત તદ્દન ખોટી છે. તેમનું નિધન વર્ષ 2016માં થયુ હતુ. હાલમાં ખોટી રીતે તેને પ્રસારિત કરવામાં આવી રહ્યુ છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જલારામ બાપાના વારસદાર જયસુખરામબાપાનું અવસાન વર્ષ 2016માં થયુ હતુ... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing context