ગુજરાત સરકાર કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. આ મેસેજ છેલ્લા ઘણા વર્ષો થી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે મેસેજમાં માહિતી આપતા જણવવામાં આવ્યુ છે કે, “વોટ્સએપ ગ્રુપ એડમીને પોતાના ગ્રુપમાં કોઈ સોગંધ વાળા મેસેજ, અસ્લીલ વિડીયો કે ફોટા મોકલનાર વ્યક્તિને 1 વર્ષની કેદ અને 5000 રૂપિયા દંડ લેવામાં આવશે. તેના નામે જે નંબર ચાલુ હશે તે બંધ કરી દેવામાં આવશે. અને ગ્રુપ એડમીન ને 2 વર્ષની કેદ અને 5 હજાર દંડ. કોઈપણ પ્રકારની કમ્પ્લેન માટે પોતાના નજીકના પોલીસ સ્ટેશને જઈ કમ્પ્લેન લખાવો.” આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોશિયલ મિડિયાને લઈ આ પ્રકારે આદેશ બહાર પાડવામાં આવ્યા છે.”
ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Adv Jagruti Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 27 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોશિયલ મિડિયાને લઈ આ પ્રકારે આદેશ બહાર પાડવામાં આવ્યા છે.”

FACT CHECK
સૌપ્રથમ અમે ગૂગલ પર આ અંગે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ કે આ ન્યુઝ પેપરનું કટિંગ વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જે તમે નીચે જોઈ શકો છો.

તેમજ અમને ARCHIVE માં DAILYHUNT વેબસાઈટ પર MRREPORTER નામના યુઝર દ્વારા એક આર્ટીકલ મુકવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો મેસેજ ખોટો છે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ હુકમ ક્યારેય પણ કરવામાં આવ્યો નથી.

ત્યારબાદ અમે હાઈકોર્ટના વકિલ અનીલ મહેતા જોડે વાત કરી હતી તેમણે પણ અમને જણાવ્યુ હતુ કે, “આ પ્રકારે હાઈકોર્ટ દ્વારા કયારેય કોઈ આદેશ કરવામાં આવ્યા નથી. લોકોને ભ્રામક કરવા માટે આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યા છે.”
તેમજ અમે અમારી પડતાલને વધુ મજબૂત કરવા ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાનો પણ સંપર્ક સાધ્યો હતો, તેમણે અમને જણાવ્યુ હતુ કે, “ગુજરાત સરકાર કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ બહાર પાડવામાં આવ્યો નથી. આ ખોટો મેસેજ છે. જે-તે સમયે આ મેસેજ ખૂબ વાયરલ થયો હતો, જો કે, આ પ્રકારે કોઈ આદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યા નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે ક્યારેય કોઈ આદેશ કરવામાં આવ્યા નથી. આ મેસેજ લોકોમાં ભ્રામક્તા ફેલાવવા શેર કરવામાં આવી રહ્યો છે. આ મેસેજ ચાર વર્ષથી ગુજરાતના સોશિયલ મિડિયામા ફરી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોશિયલ મિડિયાને લઈ કોઈ આદેશ બહાર નથી પાડ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
