શું ખરેખર 1945 થી અત્યાર સુધી જાપાનમાં અમેરિકા એક પણ વસ્તુનું વેચાણ નથી કરી શક્યું…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

Hitesh Kushakiya Prajapati નામના ફેસબુક યુઝર દ્વારા 9 જૂન, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, 1945 માં અમેરિકા એ જાપાન ઉપર 2 અણુબોમ્બ ફેંક્યા હતા ત્યારથી લઈ અત્યાર સુધીમાં અમેરિકા પોતાની એક સોઈ પણ જાપાન માં વેચવા માં સક્ષમ નથી અને આપણે અહીં ટિકટોક માં મુજરા કરીએ છીએ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1945 માં જ્યારે અમેરિકાએ જાપાન પર અણુબોંબ ફેંક્યો ત્યારથી લઈને આજ સુધી અમેરિકા તેની એક પણ વસ્તુ જાપાનમાં વેચી શક્યું નથી. આ પોસ્ટને 60 લોકોએ લાઈક કરી હતી. 4 લોકો એ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 22 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.23-18_01_26.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર 1945 માં જ્યારે અમેરિકાએ જાપાન પર અણુબોંબ ફેંક્યો ત્યારથી લઈને આજ સુધી અમેરિકા તેની એક પણ વસ્તુ જાપાનમાં વેચી શક્યું નથી. એ જાણવા માટે સૌપ્રથમ અમે ગુગલનો સહારો લઈ જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને census.gov નામની વેબસાઈટ પર જાપાન અને અમેરિકા વચ્ચે જાન્યુઆરી 2020 થી એપ્રિલ 2020 સુધીમાં થયેલા આયાત-નિકાસ વેપારની માહિતી આપવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

image5.jpg

Archive

અમારી વધુ તપાસમાં અમને ustr.gov નામની યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ વેબસાઈટ પર 26 સપ્ટેમ્બર, 2018 ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડાપ્રધાન શિંજો આબે વચ્ચે વ્યાપારને લઈ સમજૂતિ કરવામાં આવી હતી એ અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જે તમે નીચે જોઈ શકો છો.

image3.jpg

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જાપાન દ્વારા અમેરિકાની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં નથી આવ્યો કે અમેરિકા અને જાપાન વચ્ચે વેપાર પણ બંધ નથી થયો. આજ દિન સુધી અમેરિકા અને જાપાન વચ્ચે માલસામાનની આયાત-નિકાસ ચાલુ જ છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જાપાન દ્વારા અમેરિકાની ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં નથી આવ્યો કે અમેરિકા અને જાપાન વચ્ચે વેપાર પણ બંધ નથી થયો. આજ દિન સુધી અમેરિકા અને જાપાન વચ્ચે માલસામાનની આયાત-નિકાસ ચાલુ જ છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર 1945 થી અત્યાર સુધી જાપાનમાં અમેરિકા એક પણ વસ્તુનું વેચાણ નથી કરી શક્યું…?

Fact Check By: Vikas Vyas 

Result: False