જાણો અરવિંદ કેજરીવાલને ટીંગા ટોળી કરીને લઈ જઈ રહ્યા હોવાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Missing Context રાજકીય I Political

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ED દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી એ સમયનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2012 માં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન (IAC) ના અન્ય સભ્યો, જેઓ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાનની બહાર વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી તે સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 21 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં ED દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી એ સમયનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર અમને 12 ઓક્ટોમ્બર, 2012 ના રોજ news18.com દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન (IAC) ના અન્ય સભ્યો, જેઓ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાનની બહાર વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી તે સમયનો છે.

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. oneindia.com | m.rediff.com 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2012 માં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન (IAC) ના અન્ય સભ્યો, જેઓ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહના નિવાસસ્થાનની બહાર વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમની અટકાયત કરવામાં આવી હતી તે સમયનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title: જાણો અરવિંદ કેજરીવાલને ટીંગા ટોળી કરીને લઈ જઈ રહ્યા હોવાના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas 

Result: Missing Context