
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મેસના વિદ્યાર્થીઓ જીવ બચાવવા છલાંગ લગાવી રહ્યા છે તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ એપ્રિલ 2025માં અમદાવાદના ઈંદિરાબ્રિજ ખાતે આવેલ આત્રેય ઓર્કિડ સોસાયટીમાં લાગેલી આગનો છે જેમાં એક છોકરીએ જીવ બચાવવા માટે પાંચમા માળેથી છલાંગ લગાવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કે અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 12 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, દુઃખદ ઘટના… મેસના વિદ્યાર્થીઓ પોતાનો આબાદ બચાવ કરતા…. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મેસના વિદ્યાર્થીઓ જીવ બચાવવા છલાંગ લગાવી રહ્યા છે તેનો આ વીડિયો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો સાથેના સમાચાર ગુજરાત હેડલાઈન નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા 29 એપ્રિલ, 2025ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, અમદાવાદના ઈંદિરાબ્રિજ વિસ્તારમાં આવેલી આત્રેય ઓર્કિડ નામની ઈમારતમાં આગ લાગતાં લોકોએ જીવ બચાવવા છલાંગ લગાવી તેનો આ વીડિયો છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ વીડિયો તાજેતરનો નહીં પરંતુ જૂનો છે.
ઉપરોક્ત આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. ABP Live | Desh Gujarat Local
અમારી વધુ તપાસમાં અમને ગુજરાતી જાગરણ તેમજ ઈંડિયન એક્સપ્રેસ ગુજરાતી દ્વારા આઝ વીડિયો અને માહિતી સાથેના સમાચાર એપ્રિલ 30ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશના નામે જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ એપ્રિલ 2025માં અમદાવાદના ઈંદિરાબ્રિજ ખાતે આવેલ આત્રેય ઓર્કિડ સોસાયટીમાં લાગેલી આગનો છે જેમાં એક છોકરીએ જીવ બચાવવા માટે પાંચમા માળેથી છલાંગ લગાવી હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કે અમદાવાદ એરપોર્ટ પર બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:જાણો તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ ખાતે થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
