વાયરલ વીડિયો 2021નો છે. આ વીડિયોનો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ સાથે કોઈ સંબંધ નથી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને જોડીને, પાકિસ્તાન દ્વારા સતત ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે સરહદી વિસ્તારોમાં સતત ભારે ગોળીબાર, ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યું છે, જેને ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહી છે. આ દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં રાત્રે હુમલો થતો જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં જેસલમેર પર ભારતના હુમલાનું દ્રશ્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 08 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પાકિસ્તાન દ્વારા રાજસ્થાનના જેસલમેર પર કરવામાં આવેલા હુમલાનો આ વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
તપાસની શરૂઆતમાં, અમે વાયરલ વીડિયોના કેટલાક ફોટાઓની રિવર્સ ઇમેજ સર્ચ કરી. પરિણામે, અમને NSFchannel ની યુટ્યુબ ચેનલ પર વાયરલ વીડિયો મળ્યો. આ વીડિયો 11 મે 2021ના રોજ અહીં અપલોડ કરવામાં આવ્યો હતો. સ્પષ્ટ છે કે વાયરલ વીડિયોનો ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવ સાથે કોઈ સંબંધ નથી.
પ્રકાશિત માહિતી અનુસાર, આ ઇઝરાયલનો એક વીડિયો છે. તેમાં ઇઝરાયલની આયર્ન ડોમ સંરક્ષણ પ્રણાલી ઇઝરાયલના એશ્કેલોન ઉપર રોકેટને અટકાવતી બતાવે છે.
આ ઉપરાંત, અમને આ વીડિયો બીજી યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. જે ત્રણ વર્ષ પહેલા અપલોડ કરવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વાયરલ વીડિયો 2021નો છે. આ વીડિયોનો ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ સાથે કોઈ સંબંધ નથી.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:રાત્રે થયેલા આ અંધાધૂંધ હુમલાનો આ વીડિયો 2021નો છે, તેનો ઓપરેશન સિંદૂર સાથે કોઈ સંબંધ નથી… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
