નેપાળમાં તાજેતરના સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોમાં યોગી આદિત્યનાથનું પોસ્ટર જોવા મળ્યુ…? જાણો શું છે સત્ય….

આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

રેલીમાં યોગી આદિત્યનાથનું પોસ્ટર દર્શાવતો વાયરલ ફોટો નેપાળમાં તાજેતરના સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોની નથી. આ ફોટો માર્ચ 2025માં નેપાળમાં રાજાશાહી તરફી રેલીનો છે. મૂળ ફોટો રેલીમાં યોગી આદિત્યનાથ અને નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું પોસ્ટર દર્શાવે છે.

હાલમાં નેપાળમાં સરકાર વિરોધમાં થયેલા પ્રદર્શન બાદ નેપાળ સમગ્ર વિશ્વમાં ચર્ચામાં છે, ત્યારે એક રેલીમાં યોગી આદિત્યનાથનો પોસ્ટર દર્શાવતી એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ નેપાળમાં તાજેતરમાં થયેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો દરમિયાનની છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 10 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ નેપાળમાં તાજેતરમાં થયેલા સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનો દરમિયાનની છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 9 માર્ચ 2025ના રોજ ડેઇલી એશિયન એજ દ્વારા પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “યોગી આદિત્યનાથ અને નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના રેલીમાં પોસ્ટર દેખાય છે.” 

અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, “પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહની સ્વાગત રેલીમાં મુખ્ય આયોજકોની સંમતિ કે ચર્ચા વિના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની છબી ધરાવતું બેનર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. એક મહિનાના રોકાણ પછી ભૂતપૂર્વ રાજા પોખરાથી પરત ફર્યા બાદ કાઠમંડુમાં યોજાયેલી આ રેલીનું આયોજન રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી (RPP)ના કમલ થાપા અને રાજેન્દ્ર લિંગડેન જેવા મુખ્ય વ્યક્તિઓ દ્વારા દુર્ગા પ્રસાઈ સાથે કરવામાં આવ્યું હતું. વધુમાં, વિવિધ વ્યક્તિઓએ સ્વતંત્ર રીતે નાગરિકોને આ મેળાવડામાં ભાગ લેવા વિનંતી કરી હતી.

આ કાર્યક્રમમાં પ્રદર્શિત કરાયેલા અસંખ્ય બેનરોમાં, યોગી આદિત્યનાથનો ફોટો ધરાવતો એક બેનર અલગ હતો, જે પ્રદીપ બિક્રમ રાણા દ્વારા પ્રાયોજિત હોવાનું કહેવાય છે. કેટલાક ઉપસ્થિતોએ ગોરખનાથ સંપ્રદાય અને શાહ વંશ વચ્ચેના આધ્યાત્મિક જોડાણને પ્રકાશિત કરીને તેના સમાવેશને વાજબી ઠેરવ્યો હતો. આદિત્યનાથ ગોરખનાથના શિષ્ય પણ છે તે જોતાં, કેટલાક સહભાગીઓએ દલીલ કરી હતી કે તેમની છબી રેલીના સંદર્ભમાં સુસંગત છે.

આરપીપી અને આરપીપી નેપાળ બંનેના નેતાઓએ રાણાથી પોતાને દૂર રાખ્યા છે, અને કહ્યું છે કે તેઓ કોઈપણ જૂથ સાથે જોડાયેલા નથી. આરપીપી નેપાળના મહાસચિવ રાજારામ બરતૌલાએ પણ પુષ્ટિ આપી હતી કે 2073 બીએસમાં તેમની ચૂંટણી હાર પછી રાણા કમલ થાપા કે પાર્ટી સાથે સંકળાયેલા નથી. પ્રદર્શનમાં અનેક રાજવી જૂથો હાજર હોવાથી, કોઈ એક સંસ્થાએ બેનરના પ્રદર્શનની જવાબદારી લીધી નથી, જેના કારણે આ કાર્યક્રમમાં તેની હાજરી માટે કોણ જવાબદાર છે તે અંગે મૂંઝવણ ઊભી થઈ છે.”

12 માર્ચના રોજ ફર્સ્ટપોસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, “પૂર્વ રાજવી પરિવારની રેલીમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના ફોટાની હાજરીને લઈને નેપાળની વડા પ્રધાન કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળની સરકાર અને ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહના સમર્થકો વચ્ચે વિવાદ ઉભો થયો છે.”  

અન્ય અહેવાલો અહીં, અહીં અને અહીં વાંચી શકાય છે.

આ સ્પષ્ટ કરે છે કે વાયરલ છબી જૂની છે અને નેપાળમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો સાથે સંબંધિત નથી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રેલીમાં યોગી આદિત્યનાથનું પોસ્ટર દર્શાવતો વાયરલ ફોટો નેપાળમાં તાજેતરના સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોની નથી. આ ફોટો માર્ચ 2025માં નેપાળમાં રાજાશાહી તરફી રેલીનો છે. મૂળ ફોટો રેલીમાં યોગી આદિત્યનાથ અને નેપાળના ભૂતપૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું પોસ્ટર દર્શાવે છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:નેપાળમાં તાજેતરના સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનોમાં યોગી આદિત્યનાથનું પોસ્ટર જોવા મળ્યુ…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia  

Result: Misleading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *