પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી હાલની નહિં પરંતુ વર્ષ 2023માં આ કોર્પોરેટરનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. હાલમાં ઓડિયો વાયરલ થયાની વાત તદ્દન ખોટી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં પુરી થઈ છે ત્યારે એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં ગાંધીનગરના ભાજપાના કોર્પોરેટરનો એક ઓડિયો વાયરલ થયાનું જણાવવામાં આવી રહ્યુ છે જેમાં ભાજપાના કોર્પોરેટર દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, “તારા સમાજે 500 રૂપિયા દારૂ-ચવાણું લઈને મત આપ્યા છે.” આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ગાંધીનગરના ભાજપાના નગરસેવકનો આ ઓડિયો હાલમાં ચૂંટણી બાદ વાયરલ થઈ રહ્યો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 20 ફેબ્રુઆરી 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ગાંધીનગરના ભાજપાના નગરસેવકનો આ ઓડિયો હાલમાં ચૂંટણી બાદ વાયરલ થઈ રહ્યો છે.”
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ ન્યુઝ પેપરનું ક્ટિંગ અને ઓડિયોની ફેસબુક પોસ્ટ પર 20 ફેબ્રુઆરી 2023ના પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
આ ક્લુના આધારે સર્ચ કરતા અમને એબીપી અસ્મિતા દ્વારા પ્રસારિત 20 ફેબ્રુઆરી 2023નો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગાંધીનગરના ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઇ છે. જેમાં વાયરલ વીડિયોમાં 500 રૂપિયા, દારૂ અને ચવાણું લઈને મતો આપ્યાનો ઉલ્લેખ છે. વોર્ડ નંબર 3ના કોર્પોરેટર ભરત ગોહિલ અને બાબુલાલ નામની વ્યક્તિની ઓડ઼િયો ક્લિપ વાયરલ થઇ છે.”
તેમજ ઈટીવી ભારત દ્વારા પણ આ અંગે માહિત આપતો અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે પણ આ જ માહિતી આપવામાં આવી હતી.
આ અંગે ન્યુઝ બુલેટિયન પણ સમાચાર એજન્સી દ્વારા પ્રસારિત કરવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી હાલની નહિં પરંતુ વર્ષ 2023માં આ કોર્પોરેટરનો કથિત ઓડિયો વાયરલ થયો હતો. હાલમાં ઓડિયો વાયરલ થયાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર ગાંધીનગર ભાજપાના નગરસેવક દ્વારા આ નિવેદન આપવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult:Missing Context
