શું ખરેખર જ્યોતિ મલ્હોત્રાને લોકો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

આ વીડિયો બાંગ્લાદેશનો છે. ફેબ્રુઆરી 2025માં લોકોએ શેખ મુજીબુરહમાનનું ઘર તોડી પાડ્યું. તે સમયે, તોડફોડનો વિરોધ કરતી એક મહિલાને લોકોએ માર માર્યો હતો તે સમયનો આ વીડિયો છે. જ્યોતિ મલ્હોત્રા પર કોઈ હુમલો થયો નથી.

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર ઓપરેશન સિંદૂર પછી ધરપકડ કરાયેલી યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ ક્લિપમાં કેટલાક લોકો એક મહિલાને માર મારતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલા જ્યોતિ મલ્હોત્રા છે અને લોકોએ તેને માર માર્યો હતો તેનો વીડિયો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 22 મે 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ મહિલા જ્યોતિ મલ્હોત્રા છે અને લોકોએ તેને માર માર્યો હતો તેનો વીડિયો છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 6 ફેબ્રુઆરી 2025 ના રોજ બાંગ્લાદેશી ન્યૂઝ ચેનલ પ્રોટીડીનર બાંગ્લાદેશની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયેલા આ વીડિયોનું સંપૂર્ણ સંસ્કરણ મળ્યું. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, મહિલાને માર મારવામાં આવ્યો હતો કારણ કે તે શેખ હસીનાની અવામી લીગ પાર્ટીની સમર્થક હતી, જ્યારે તે ધનમંડી 32 ના ધ્વંસનો વિરોધ કરી રહી હતી.

તેમજ બાંગ્લાદેશની ન્યુઝ વેબસાઈટ પર પણ આ મહિલાને મારમારવાનો વીડિયોને લઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના પિતા શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક નિવાસસ્થાન, ધાનમોન્ડી 32 પર 5 ફેબ્રુઆરી 2025 ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ કરવામાં આવી હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો બાંગ્લાદેશનો છે. ફેબ્રુઆરી 2025માં લોકોએ શેખ મુજીબુરહમાનનું ઘર તોડી પાડ્યું. તે સમયે, તોડફોડનો વિરોધ કરતી એક મહિલાને લોકોએ માર માર્યો હતો તે સમયનો આ વીડિયો છે. જ્યોતિ મલ્હોત્રા પર કોઈ હુમલો થયો નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું ખરેખર જ્યોતિ મલ્હોત્રાને લોકો દ્વારા માર મારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *