આ ઘટનામાં પીડિત મહિલા મુસ્લિમ છે અને પોલીસના જણાવ્યા અનુસાર તે કિન્નર છે.

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પુરુષોની ભીડ એક મહિલાને ઘેરીને લાકડી વડે માર મારી રહી છે. અને કાન પકડીને બેસવા માટે દબાણ કરી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઓ દ્વારા આદિવાસી હિન્દુ મહિલાને હિજાબ ન પહેરવા બદલ મારમાર્યો હતો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “બાંગ્લાદેશમાં કટ્ટરપંથી ઓ દ્વારા આદિવાસી હિન્દુ મહિલાને હિજાબ ન પહેરવા બદલ મારમાર્યો હતો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને Channel I News ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો વાયરલ થયા બાદ મોહમ્મદ ફારુકુલ ઈસ્લામ નામના 23 વર્ષના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ વધુ સર્ચ કરતા અમને બાંગ્લાદેશ મીડિયાના અહેવાલો પ્રાપ્ત થયા હતા. ઢાકા ટ્રિબ્યુન, અને બીબીસી બાંગ્લાના અહેવાલ મુજબ, કોક્સ બજાર બીચ પોલીસે ફારૂકુલની ધરપકડ કરી હતી અને પુષ્ટિ કરી હતી કે મૂળ ઘટના 11 સપ્ટેમ્બરના રોજ બની હતી, જેમાં આરોહી ઇસ્લામ નામની 20 વર્ષીય પીડિતા સામેલ છે, જે મુસ્લિમ છે.
દૈનિક બાંગ્લાના અહેવાલ મુજબ, આરોહીએ હુમલાખોરો પર આરોપ મૂક્યો કે તેણી પર શેખ હસીનાની પાર્ટી, અવામી લીગની વિદ્યાર્થી પાંખ છાત્ર લીગ સાથે સંકળાયેલા હોવાના ખામીયુક્ત આરોપો લગાવ્યા. બીજી તરફ, ચૌધરીને એવું કહેતા સાંભળવામાં આવ્યા કે પોલીસે જડબાતોડ જવાબ આપ્યો અને મુખ્ય આરોપીને પકડી લીધો. તેણે એ પણ પુષ્ટિ કરી કે પીડિતાની ઓળખ આરોહી ઈસ્લામ તરીકે થઈ છે, જે થર્ડ જનરેશનની હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, “આ ઘટનામાં જે પીડિત મહિલા જોવા મળે છે તેનું નામ આરોહી ઇસ્લામ છે. જે મુસ્લિમ છે. જેને સ્થાનિક લોકો દ્વારા હેરાન કરવામાં આવી હતી. આદિવાસી હિન્દુ હોવાની વાત તદ્દન ખોટી છે.”
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:શું ખરેખર હિન્દુ મહિલાને હિજાબ ન પહેરવા બદલ બાંગ્લાદેશમાં મારમારવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
