મોદીના મનકી બાતને લઈ સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ જુની છે… જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

આ ન્યુઝ પેપરનું ક્ટિંગ સપ્ટેમ્બર 2021નું છે, હાલમાં મોદની મન કી બાતને લઈ આ પ્રકારે કોઈ મીડિયા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો નથી.

હાલમાં એક ન્યુઝ પેપરનું ક્ટિંગ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. જેમાં મોદીના મન કી બાતને લઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ ન્યુઝ પેપરના ક્ટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોદીની મન કી બાતનો કાર્યક્રમ સોશિયલ મીડિયામાં માત્ર 4 હજાર લોકોને જ પસંદ છે જ્યારે 37 હજાર લોકોને નાપસંદ છે.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 05 ડિસેમ્બર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોદીની મન કી બાતનો કાર્યક્રમ સોશિયલ મીડિયામાં માત્ર 4 હજાર લોકોને જ પસંદ છે જ્યારે 37 હજાર લોકોને નાપસંદ છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ ન્યુઝ પેપરનું ક્ટિંગ 30 નવેમ્બર 2021ના ફેસબુક પર પ્રાપ્ત થયુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

https://www.facebook.com/permalink.php?story_fbid=236877568530439&id=100990455452485&__cft__[0]=AZXMNsA3QtIlUJot10840MO-lhmHOkcb8rRcswChAlOTK1hug6vilWfJTmYh-dQfDAQDGAxA5_O6K-qBhHwKEQwOgGeRfygth9LfmVCK_Hya0AVJZn3_7fkurVDtDzQbpPmD6qhpoo9I_a2U6bOZpX6FugU_gakFwjyuU-IVd_pWGg&__tn__=%2CO%2CP-R

Archive

તેમજ ગત મહિનાના નવેમ્બર મહિનાની મોદી કી મનકી બાતને લઈ સર્ચ કરતા અમને જે પ્રકારે પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે તે પ્રકારે કોઈ પસંદ અને નાપસંદની જાણકારી પ્રાપ્ત થઈ ન હતી. મોદીના મનકી બાતનો કાર્યક્રમ તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલું ન્યુઝ પેપરનું ક્ટિંગ વર્ષ 2021નું છે, હાલમાં આ પ્રકારે કોઈ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:મોદીના મનકી બાતને લઈ સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ જુની છે… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia  

Result: Missing Context