
તાજેતરમાં કેદારનાથ ખાતે હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના બની હતી. જેમાં 7 લોકોના મોત થયા હતા. સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશ થવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટનાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મે 2025માં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટર એર એમ્બ્યુલન્સ ક્રેશ થયાનો છે. જેમાં કોઈ જ જાનહાની થઈ ન હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે…?
એક ફેસબુક યુઝર દ્વારા 15 જૂન, 2025ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે,
ઉત્તરાખંડમાં રૂદ્રપ્રયાગના ગૌરીકુંડ વિસ્તારમાં મોટું એક અકસ્માત થયો છે. રવિવારે વહેલી સવારે કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં કુલ સાત લોકો સવાર હતા. આ દુ:ખદ અકસ્માતમાં સાતેય લોકોના મોત થયા છે, મૃતકોમાં એક 23 મહિનાનો બાળક પણ છે. NDRF અને SDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે… પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો તાજેતરમાં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટનાનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ અમે આ વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર 17 મે, 2025ના રોજ એબીપી અસ્મિતા દ્વારા તેના સત્તાવાર ટ્વિટર પર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો કેદારનાથ ખાતે ક્રેશ થયેલ હેલિકોપ્ટર એર એમ્બ્યુલન્સનો છે. જેમાં તમામ લોકોનો આબાદ બચાવ થયે હતો. કોઈ જ જાનહાની થઈ ન હતી.
આજ વીડિયો સાથેના સમાચાર અન્ય મીડિયા માધ્યમો દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે અહીં જોઈ શકો છો. First India TV | WION
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મે 2025માં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટર એર એમ્બ્યુલન્સ ક્રેશ થયાનો છે. જેમાં કોઈ જ જાનહાની થઈ ન હતી. આ વીડિયોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)

Title: જાણો તાજેતરમાં કેદારનાથ ખાતે બનેલી હેલિકોપ્ટરના ક્રેશની દુર્ઘટનાના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
